કોરોના મહામારીને રોકવા માટેની વેક્સિનની શોધ હાલ દુનિયાભરમાં ચાલી રહી છે. જેને લઇને ભારતની 6 કંપનીઓ પણ આ વેક્સિન શોધવાની કામગીરી કરી રહી છે. જો કે ભારતના ઉચ્ચ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાનો સંક્રમણનો જો કહેર દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે તેને જોઇને વેકસિનની શોધ માટે 2021 સુધી રાહ જોવી પડે તેવી સંભાવના છે.
કોરોના વેક્સિન મુદ્દે ભારતીય વૈજ્ઞાનીકોનો દાવો
2021 પહેલા કોરોના વેક્સિન શક્ય નથી
ભારતમાં 6 કંપનીઓ વેક્સિનનું કરી રહી છે રિસર્ચ
હાલમાં કોરોના વાયરસના સંક્રમણથી વિશ્વભરમાં 19 લાખથી વધુ લોકો પીડિત જોવા મળી રહ્યાં છે. જ્યારે 1.26 લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ મહામારીની શોધને લઇને કામ કરી રહ્યાં છે.
જો કે સીઇપીઆઇના વાઇસ ચેરમેન પદ પર નિયુક્ત કંગનું કહેવું છે કે કોઇપણ વેક્સિનના પરીક્ષણની પ્રક્રિયા ઘણી જટીલ હોય છે, તેમજ તેની સામે ઘણા પડકારો પણ હોય છે. આમ કોવિડ-19ની વેકસિનની શોધ માટે ભલે અન્ય બિમારીઓની વેક્સિનની શોધની જેમ 10 વર્ષ ના લાગે પરંતુ તેને સુરક્ષિત, પ્રભાવી અને મોટા પાયે ઉપલબ્ધ કરાવા પાછળ અંદાજે 1 વર્ષ જેટલો તો સમય લાગી શકે છે.
જ્યારે કેરળના રાજીવ ગાંધી સેંટર ફોર બાયોટેકનોલોજીના ચીફ નું પણ કહેવુ છે કે કોઇપણ વેકસીન તૈયાર કરવામાં ઘણા વર્ષો લાગે છે. જેમાં વેકસિનને ઘણા પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે અને ત્યારબાદ તેને મંજૂરી મળે છે. આમ કોરોના વાયર સામેની વેકિસન ઝડપથી ઉપલબ્ધ થાય તેવી શક્યતા ઓછી છે.
આ રીતે થાય છે વેક્સિનનું પરીક્ષણ
વેકસિનનું પ્રારંભિક પરીક્ષણ પશુઓ પર કરવામાં આવે
લેબ ટેસ્ટિંગ દરમિયાન પશુઓ પર અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવે
માનવીય ચિકિત્સકનું પરીક્ષણ પહેલા નાના તબક્કામાં કેટલાક લોકો પર કરાય છે
પહેલા તબક્કામાં સુરક્ષિત સાબિત થવા પર બીજા તબક્કામાં થોડા વધારે લોકો પર પરીક્ષણ કરાય છે
બીજા તબક્કામાં બિમારી વિરુદ્ધના વેક્સિન પ્રભાવ પર આંકલન કરાય છે
જ્યારે અંતિમ નિર્ણાયક તબક્કામાં હજારો લોકો પર વેક્સિનની બિમારીને રોકવાની ક્ષમતા પારખવામાં આવે છે
નિર્ણાયક તબક્કામાં વેક્સિનની ક્ષમતા પારખવામાં ઘણા મહિનાઓ લાગે છે
આ ભારતીય કંપનીઓ કરી રહી છે પરીક્ષણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર 70 વેકસીનનું પ્રિ-ક્લીનિકલ પરીક્ષણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી ત્રણ પ્રયોગશાળામાં સફળ થવા પર માનવીય ચિકિત્સકીય પરીક્ષણની મંજૂરી મળી ચૂકી છે.
ભારતમાં ઝાયડસ કેડીલા બે વેક્સિન પર, સીરમ ઇન્સ્ટીટયૂટ, બાયોલોજિકલ ઇ. ભારત બાયોટેક, ઇંડિયન ઇમ્યુનોલૉજિકલ્સ અને માઇનવેક્સ એક-એક વેકસીનના પરીક્ષણ પર કામ કરી રહી છે. પરંતુ WHO એ પોતાની યાદીમાં માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઇન્સ્ટીટયૂટને જ સામેલ કરી છે.