RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતીમાં છે અને અસુરક્ષિત વિદેશી મુદ્રાની લેવડ-દેવડથી ગભરાવવાની જગ્યાએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતીમાં છે
અસુરક્ષિત વિદેશી મુદ્રાની લેવડ-દેવડથી ગભરાવવાની જરૂર નથી
ભારતીય રૂપિયો અન્ય દેશોની કરન્સી કરતા સારી સ્થિતિમાં છે-શક્તિકાંત દાસ
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગંભીર પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હોવાની વાત કરી છે. આજે BOB વાર્ષિક બેન્કિંગ કોન્ફરન્સને સંબોધતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ગંભીર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર પ્રમાણમાં વધુ સારી સ્થિતિમાં છે.
રૂપિયાના ઘટતા સ્તર અંગે આ વાત કહી
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય રૂપિયો અન્ય દેશોની કરન્સી કરતા સારી સ્થિતિમાં છે. રૂપિયામાં તીવ્ર વધઘટ અને અસ્થિરતાને મંજૂરી આપવામાં આવશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બજારમાં યુએસ ડૉલરનો પુરવઠો પૂરો પાડે છે જેથી રોકડનો પૂરતો પુરવઠો (તરલતા) સુનિશ્ચિત થાય છે.RBIના પગલાથી રૂપિયાના સરળ ટ્રેડિંગમાં મદદ મળી છે. આ સિવાય શક્તિકાંત દાસે કહ્યું કે અસુરક્ષિત વિદેશી હૂંડિયામણના વ્યવહારો વિશે ગભરાવાની જગ્યાએ તેને હકીકતથી જોવાની જરૂર છે.
RBIના ગવર્નર પણ માને છે કે 2016 માં અપનાવવામાં આવેલ ફુગાવાના લક્ષ્યાંક માટેનું વર્તમાન માળખું ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને ફુગાવાનું સ્તર RBIના લક્ષ્યાંકના પ્રમાણમાં જોવામાં આવ્યું છે.
રેપો રેટને લઈને શક્તિકાંત દાસે શું કહ્યું
RBIના ગવર્નરે રેપો રેટને લઈને એક સવાલના જવાબમાં કહ્યું કે, RBI લિક્વિડિટી અને દરો વધારવા અંગે નિર્ણય લેતી વખતે હંમેશા વૃદ્ધિના લક્ષ્યને ધ્યાનમાં રાખે છે અને તે મુજબ RBIની મોનેટરી પોલિસી કમિટી તેના પગલાં લે છે.