કોરોનાના ઘટતા કેસ અને યાત્રીઓની વધતી માંગને લઈ હવે રેલેવે દ્વારા નવી 50 ટ્રેનો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યાત્રીઓની માંગણીને પૂરી કરવા માટે આ નિર્ણય લેવાયો
આ જાણકારી ખુદ રેલેવે મંત્રી પિયુષ ગોયલે આપી
પશ્ચિમ રેલવેએ 14 ટ્રેનોના ફેરા વધાર્યા
યાત્રીઓની માંગણીને પૂરી કરવા માટે આ નિર્ણય લેવાયો
કોરોનાના સંક્રમણમાં બીજી લહેરનો કહેર હવે ઓછો થતાં જેમ જેમ રાજ્યોમાં લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે તેમ તેમ હવે રેલવે યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના ઘટતા કેસ અને યાત્રીઓની વધતી માંગને લઈ હવે રેલેવે દ્વારા નવી 50 ટ્રેનો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
यात्रियों की बढ़ती हुई मांग को देखते हुए भारतीय रेल अनेक विशेष ट्रेनों को पुनः आरंभ करने जा रही है।
एक बार फिर से यात्रियों को उनके गंतव्य तक पहुंचाने के लिये तेज व सुरक्षित रेल सेवायें तैयार हैं।
આ જાણકારી ખુદ રેલેવે મંત્રી પિયુષ ગોયલે આપી
આ વાતની જાણકારી ખુદ રેલેવે મંત્રી પિયુષ ગોયલે આપી છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે યાત્રીઓની વધતી માંગને જોઈ ભારતીય રેલવે દ્વારા ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. રેલવેના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં અવર જવર કરનાર યાત્રીઓને ટ્રેનો શરૂ થતાં ઘણો ફાયદો થશે. એકવાર ફરી યાત્રીઓને પોતાના સ્થાન પર મોકલવા માટે સુરક્ષિત રેલવે સેવાઓ ફરીથી તૈયાર છે.
પશ્ચિમ રેલવેએ 14 ટ્રેનોના ફેરા વધાર્યા
પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાઓની માંગણીને પૂરી કરવા માટે વધુ 7 ટ્રેનોના રૂટને લંબાયો છે. લિસ્ટમાં જે ટ્રેનોનો રુટ લંબાયો તેના પણ નામ આપવામાં છે.