રેલવે મંત્રી પિયુષ ગોયેલે લોકસભામાં જણાવ્યું કે રેલવેનું કદી પણ ખાનગીકરણ નહીં કરવામાં આવે અને રેલવે હમેંશા ભારત સરકારને અધીન રહેશે.
પિયુષ ગોયેલે રેલવેના ખાનગીકરણની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યુ
રેલવે ભારત સરકારની સંપત્તિ, કદી પણ ખાનગીકરણ નહીં કરાય
ખાનગી સેક્ટરનું રોકાણ દેશહિતમાં હોય છે
રેલવેના ખાનગીકરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ગોયેલે જણાવ્યું કે પ્રવાસીઓને સારી સુવિધા મળે, રેલવે દ્વારા ઈકોનોમીને મજબૂતી મળે, આવા બધા કામો માટે ખાનગી સેક્ટરનું રોકાણ દેશહિતમાં હોય છે.
ભારતીય રેલવેનું ક્યારેય પણ ખાનગીકરણ નહીં થાય
દુર્ભાગ્યે ઘણા સાંસદો ખાનગીકરણ અને કોર્પોરેટાઈઝેશનનો આરોપ લગાવી રહ્યાં છે. ભારતીય રેલવેનું ક્યારેય પણ ખાનગીકરણ નહીં થાય. હું વિશ્વાસ અપાવું છું કે રેલવે ભારતની સંપત્તિ છે અને તેનું ક્યારેય પણ ખાનગીકરણ નહીં કરાય.
રસ્તા પણ સરકારે બનાવ્યાં છે તો શું તેની પર ફક્ત સરકારી ગાડીઓ ચાલે છે ? ગોયલનો સવાલ
રેલવે મંત્રીએ જણાવ્યું કે રસ્તા પણ સરકારે બનાવ્યાં છે તો શું કોઈ કહે છે કે તેની પર ફક્ત સરકારી ગાડીઓ ચાલશે. રસ્તા પર બધા પ્રકારના વાહન ચાલે છે ત્યારે પ્રગતિ થાય છે અને ત્યારે તમામને સુવિધા મળે છે. શું રેલવેમાં આવું ન થવું જોઈએ ? શું પ્રવાસીઓને સારી સુવિધા ન મળવી જોઈએ. તેમણે કહ્યું કે માલવાહક ટ્રેનો ચાલવી જોઈએ અને તેને માટે ખાનગી સેક્ટર રોકાણ કરે તો તેની પર વિચાર ન થવો જોઈએ.
Railway Minister @PiyushGoyal in Lok Sabha said "We're accused of privatizing railways, but people never say that only govt vehicles should run on roads, it's because both pvt&govt vehicles helps the economy. Pvt investment in Railways should be welcomed as it'll boost services". pic.twitter.com/VD3xWFtRcS
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) March 16, 2021
ખાનગી રોકાણ દેશહિત માટે જરુરી છે-રેલ મંત્રી
મંત્રીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં રેલવેમાં લિફ્ટ, એસ્કેલેટર અને બીજી સુવિધાઓના વિસ્તારની દિશામાં નોંધપાત્ર કામ કરાયું છે. જો આપણે રેલવેને વિશ્વસ્તરની બનાવવી હશે તો ઘણા પૈસાની જરુર પડશે. અમૃતસર માટે 230 કરોડ રુપિયાના રોકાણની યોજના બનાવાઈ છે. આવા 50 સ્ટેશનોની મોડલ ડિઝાઈન તૈયાર કરાઈ છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનના સૌંદર્યીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક પ્રમાણમાં રોકાણ કરાઈ રહ્યું છે. જો ખાનગી રોકાણ પણ આવે તો તે દેશ હિતમાં, પ્રવાસીઓના હિતમાં છે. ખાનગી સેક્ટર જે સુવિધાઓ આપશે તે દેશના નાગરિકોને મળશે. રોજગારી મળશે, દેશની ઈકોનોમીને મજબૂતી મળશે. જ્યારે સરકાર અને ખાનગી સેક્ટર સાથે મળીને કામ કરશે ત્યારે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.