રેલવેમાં કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે વેપારીને બિલ આપવું જરૂરી છે. જો કોઈ વેપારી બિલ આપવામાં આનાકાની કરે તો ગ્રાહકે બિલ આપવાની કોઈ જરૂર નથી. રેલવે વિભાગે દેશભરમાં રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે.
જો તમે રેલવેમાં મુસાફરી કરતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. હવેથી રેલવે સ્ટેશન કે રેલવેમાં કોઈ ખાદ્ય સામગ્રી ખરીદો ત્યારે વેપારીને બિલ આપવું જરૂરી છે. જો કોઈ વેપારી બિલ આપવામાં આનાકાની કરે તો ગ્રાહકે બિલ આપવાની કોઈ જરૂર નથી. રેલવે વિભાગે દેશભરમાં રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે. જેના હેઠળ રેલવેસ્ટેશન અને ટ્રેનમાં વેપારીએ બિલ આપવું જરૂરી છે. જો બિલ ન આપે તો ગ્રાહકે ખરીદેલો સામાન મફત સમજવો.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ યોજનાને સમજાવતા એક વીડિયો પણ શેર કર્યો છે. રેલવે સ્ટશન પર વેપારીઓ પોતાની મનમાની ચલાવતા હતા. અને વેપારીઓ કિંમત કરતા વધુ પૈસા વસૂલતા હતા. તેવા વેપારીઓ પર હવે લગામ લાગશે.
रेलवे द्वारा No Bill, No Payment की नीति अपनाते हुए विक्रेताओं द्वारा ग्राहकों को बिल देना अनिवार्य किया गया है।
ट्रेन अथवा रेलवे प्लेटफार्म पर यदि कोई विक्रेता आपको बिल देने से इंकार करता है तो आप को उसे पैसे देने की आवश्यकता नही है। pic.twitter.com/qxcnnjtemb
જણાવી દઇએ કે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વેન્ડરોની મનમાનીની ફરિયાદો મળતી રહે છે. રેલ મંત્રીએ થોડા સમય અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે 3 વર્ષ દરમિયાન માત્ર સોશિયલ મીડિયા દ્વારા રેલ મંત્રાલયને 7 લાખથી વધારે ફરિયાદો મળી. રેલ મંત્રી પ્રમાણે વર્ષ 2016-17 માં 1,71,109, 2017-18 માં 2,79,376, 2018-19 માં 2,47, 546 ફરિયાદો મળી.
તો બીજી બાજુ 2019-20 એટલે કે એપ્રિલથી 19 જૂન સુધી હાલ 64,051 ફરિયાદો રેલવેને મળી ચુકી છે. રેલવેના પ્રમાણએ ફરિયાદ મળ્યાના તરત બાદ એક્શન લેવામાં આવી.