તહેવારો વખતે ટ્રેનોમાં યાત્રીઓની ભીડ ઓછી કરવા માટે ભારતીય રેલવેએ સેન્ટ્રલ રેલવે ઝોનને સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારી કરી લીધી છે.
દિવાળી અને છઠ પૂજા પર દોડશે સ્પેશિયલ ટ્રેન
ભારતીય રેલવેએ કરી ખાસ તૈયારીઓ
આ શહેરોમાં થઈને જશે ફેસ્ટિવલ સીઝન ટ્રેન
દિવાળી અને છઠ પૂજા પર ટ્રેનોમાં ભીડ વધવા પહેલા જ ભારતીય રેલવેએ સેન્ટ્રલ રેલવે ઝોનની ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારી કરી લીધી છે. આ ટ્રેન મુંબઈ, પુણે અને નાગપુર- કરમાલીની વચ્ચે ચલાવવામાં આવશે. રેલવેએ આજથી આ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ કરી દીધુ છે. જોકે યાત્રીઓને સ્પેશિયલ ટ્રેનો માટે વધારે પૈસા ચુકવવા પડશે. ફેસ્ટિવ સીઝનમાં વધતી યાત્રીઓની ભીડ અને ટિકિટોની માંગને જોતા રોલવેએ આ પગલું ભર્યું છે. આવો જાણીએ કે આ ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનો કયા કયા રૂટ પર ચલાવવામાં આવશે અને તેના ટાઈમિંગ કયા કયા હશે?
નાગપુર-કરમાલી વીકલી સુપરફાસ્ટ સ્પેશયલ
નાગપુર અને કરમાલીની વચ્ચે ચાલતી 01239 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 30 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2021 સુધી દર શનિવારે નાગપુરથી 15.50 વાગે ચાવશે. બીજા દિવસે 14.30 વાગે કરમાલી પહોંચશે. આ પ્રકારે 01240 સુપરફાસ્ટ સ્પેશિયલ 31 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દર રવિવારે કરમાલીથી 20.40 વાગે ઉપડશે. જે બાજા દિવસે 20.10માં નાગપુર પહોંચશે.
ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનના સ્ટોપેજ
આ ફેસ્ટિવલ ટ્રેન વર્ધા, બડનેર, અકોલા, શેગાંવ, ભુસાવલ, નાસિક રોડ, ઈગતપુરી, કલ્યાણ પનવેલ, રોહા, ખેડ, ચિપલુન, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવીમ સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એક AC-2 ટાયર, ચાર AC-3 ટાયર, 11 સ્લીપર ક્લાસ અને 6 કોચ સેકન્ડ ક્લાસ છે.
મુંબઈ-નાગપુર વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus – CSMT)થી 01247 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 29 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી દર શુક્રવારે 22.55 વાગે ચાલશે અને બીજા દિવસે 13.10 વાગે નાગપુર પહોંચશે. આ પ્રકારે 01248 સુપરફાસ્ટ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2021 સુધી દર શનિવારે નાગપુરથી 17.40 વાગ્યે ચાલશે. બીજા દિવસે સવારે 0.830 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.
10 સ્ટેશનો પર રોકાશે સ્પેશિયલ ટ્રેન
ટ્રેન સંખ્યા 01248 કલ્યાણ, ઈગતપુરી, નાસિક રોડ, જલગાંવ, ભુસાવલ શેગાંવ, અકોલા, બડનેરા, ધામનગાંવ અને વર્ધા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોમાં એક AC ફર્સ્ટ ક્લાસ, બે AC-2 ટિયર, પાંચ AC-3 ટિયર, 5 સ્લીપર ક્લાસ અને 6 સેકેન્ડ ક્લાસના કોચ છે.
પુણે- ભગતની કોઠી વીકલી સ્પેશિયલ ટ્રેન
સ્પેશિયલ ટ્રેનની સંખ્યા 01249 દર શુક્રવારે 22 ઓક્ટરથી 19 નવેમ્બર 2021 સુધી પુણેથી 20.10 વાગે ચાલશે. બીજા દિવસે 19.55 વાગે ભગતની કોઠી પહોંચશે. આ પ્રકારે 01250 વીકલી સ્પેશિયલ ટ્રેન 23 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2021 સુધી દર શનિવારે ભગતની કોઠીથી 22.20 વાગ્યે ચાલશે. જે બીજા દિવસે 19.05 વાગે પુણે પહોંચી જશે.
આ શહેરોમાં રોકાશે ટ્રેન
આ ટ્રેન લોનાવલા, કલ્યાણ, વસઈ રોડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોડરાન, જલોર, મોકલસર, સમધારી અને લુની સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોમાં એક AC-2 ટિયર,ચાર AC-3 ટિયર, 11 સ્લીપર ક્લાસ અને 6 સેકેન્ડ ક્લાસ ચેયર કાર છે.