રેલવે મુસાફરો માટે અગત્યના સમાચાર સામે આવ્યાં છે. હવે તમારો પ્રવાસ વધુ સરળ થવાનો છે. કારણકે આજથી રેલવેએ એક મોટી સુવિધાને ફરીથી શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈઆરસીટીસી 14 ફેબ્રુઆરી એટલેકે આજથી ટ્રેનોમાં મુસાફરો માટે પકવેલુ ભોજન આપશે.
રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
આજથી ટ્રેનોમાં મુસાફરોને પકવેલુ ભોજન અપાશે
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે લેવાયો નિર્ણય
સર્વિસને ફરીથી શરૂ કરવાનો નિર્ણય
કોરોના મહામારીને કારણે 23 માર્ચ 2020થી રોજ રેલવે તરફથી ખાવા-પીવાની સેવાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કોરોના સંક્રમણમાં હવે ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. એવામાં જીવનની ઝડપ વધી રહી છે. કોવિડના કેસોમાં ઘટાડાને જોઈને કોરોના પ્રતિબંધોમાં છૂટછાટ આપ્યાં બાદ રેલવે તરફથી ટ્રેનમાં રાંધેલા ભોજનની સર્વિસને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઈઆરસીટીસી તરફથી ટ્રેનોમાં પકવેલુ ભોજન ફરીથી શરૂ કરાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને આજથી આ સર્વિસ શરૂ પણ કરવામાં આવી છે. અત્યાર સુધી 80 ટકા ટ્રેનોમાં કુક્ડ ફૂડની સુવિધા આપવામાં આવતી હતી.
પ્રીમિયમ ટ્રેનોમાં 21 ડિસેમ્બરથી શરૂ થઇ સર્વિસ
હવે બાકી વધેલી ટ્રેનોમાં આજથી આ સુવિધા શરૂ થઇ ગઇ છે. તો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં રાંધેલા ભોજનની સુવિધા 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. રેલવેના આ પગલા બાદ મુસાફરોને મોટી રાહત મળવાની આશા છે. ખરેખર હવે રેલવે ડબલ તૈયારીની સાથે ઝડપ વધારી રહી છે. આની પહેલા રેલવે તરફથી સ્ટેશનોની સફાઈને લઇને પગલા ઉપાડવામાં આવ્યા હતા. નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ રેલવે પરિસરમાં ગંદકી કરતો દેખાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.