ભારતીય રેલવેને કોરોના મહામારી દરમિયાન 36 000 કરોડ રુપિયાનું ભારે નુકસાન થયું છે
રેલવેને કોરોના દરમિયાન 36 000 કરોડ રુપિયાનું નુકસાન
મોટાભાગની ટ્રેનો સંચાલન ઠપ હતા
પેસેન્જર ટ્રેન નુકસાનમાં રહે છે
રેલવેને કોરોના દરમિયાન 36 000 કરોડ રુપિયાનું નુકસાન
રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે આ દાવો કર્યો છે કે ભારતીય રેલવેને કોરોના દરમિયાન 36 000 કરોડ રુપિયાનું ભારે નુકસાન થયું છે. દાનવે મહારાષ્ટ્રના જાલના રેલવે સ્ટેશન પર રવિવારે એક અંડરબ્રિજના શિલાન્યાસ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન રેલવેને 36 હજાર કરોડ રુપિયાનું નુકસાન થયું છે.
મોટાભાગની ટ્રેનો સંચાલન ઠપ હતા
ઉલ્લેખનીય છે તે ગત વર્ષે માર્ચમાં કોરોનાનો કેર શરુ થયા બાદ મોટા ભાગની ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયુ હતુ. લોકડાઉનના કારણે રેલવેની કમાણી કરનારી માલગાડિયોમાં ફક્ત જરુરી સામાનનો સપ્લાય થયો. હજું પણ સંપૂર્ણ રીતે ટ્રેનોનું સંચાલન શરુ નથી થઈ શક્યું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાવ સાહેબ દાનવે માલગાડિઓના રેલવે માટે વાસ્તવિક રુપે રાજસ્વ ઉપલબ્ધ કરાવનાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈ નાગપુર એક્સપ્રેસ વેની સાથે એક બુલેટ ટ્રેન પરિયોજનાને ક્રિયાન્વિત કરવામાં આવશે. જે વર્તમાનમાં નિર્માણાધીન છે.
પેસેન્જર ટ્રેન નુકસાનમાં રહે છે
દાનવે કહ્યું પેસેન્જર ટ્રેન ખંડ હંમેશા નુકસાનમાં ચાલે છે. જો કે ટિકિટનું ભાડું વધારવાથી પ્રવાસીઓ પર અસર પડે છે. એટલા માટે એવું નથી કરી શકતા. મહામારી દરમિયાન રેલવેને 36 હજાર કરોડનું નુકસાન થયુ. ફક્ત માલગાડિઓ જ રાજસ્વ ઉત્પન્ન કરે છે. મહામારી દરમિયાન આ ટ્રેનોએ માલ પરિવહન અને લોકોને રાહત પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બુલેટ ટ્રેનને લઈને તેમણે કહ્યું કે આ પરિયોજના મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે સાથે શરુ કરવામાં આવશે કેમ કે આ લોકો માટે જરુરી છે. દાનવે કહ્યું કે રેલવેએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રટ કોરિડોર પરિયોજના શરુ કરવામાં આવી છે. જે નવી મુંબઈને દિલ્હી સાથે જોડશે.