indian railways strict rules to travel if rules are not followed in trains then passenger may imprisoned and-penalty may also be imposed know all rules
નિયમ /
હવે ટ્રેનમાં તોડ્યો આ નિયમ તો થશે જેલની સજા અને દંડ, યાત્રા પહેલાં જાણી લો શરતો
કોરોના સંકટની વચ્ચે ભારતીય રેલ્વે એક પછી એક અનેક નવી ટ્રેન શરૂ કરવાનું નક્કી કરી રહ્યુ છે. આ સમયે તહેવારની સીઝનમાં 392 સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કોરોનાથી બચાવની સાથે ખાસ નિયમો બનાવીને ટ્રેન શરી કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. આ સાથે યાત્રાના નિયમો પણ કડક બનાવી દેવાયા છે. જો કોઈ તેને તોડશે તો તેને દંડ થશે અને સાથે જેલની સજા પણ થઈ શકે છે.
તહેવારની સીઝનમાં યાત્રીઓ માટે શરૂ કરાશે ખાસ ટ્રેન
સુવિધા સાથે કડક નિયમોનું પાલન કરવું પણ જરૂરી
નિયમ તોડવા બદલ થશે દંડ અને જેલની સજા પણ
RPFએ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર કર્યા ખાસ નિયમ
રેલ્વેએ કડક રીતે કહ્યું છે કે માસ્ક ન પહેરવું, કોરોના સાથે જોડાયેલા પ્રોટોકોલનું પાલન ન કરવું અને તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યા તો ટ્રેનમાં મુસાફરી કરવાની મનાઈ છે. આ સાથે જ આ નિયમો તોડવા માટે તમને સજા થઈ શકે છે. આ સિવાય દંડ પણ ફટકારવામાં આવે તે શક્ય છે. રેલ્વે પોલિસ ફોર્સે એમ પણ કહ્યું છે કે તહેવારની સીઝનમાં રેલ્વે પરિસરમાં માસ્ક ન પહેરવું અને સાથે યોગ્ય રીતે પણ ન પહેરવાને લઈને કાર્યવાહી થઈ શકે છે. લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણમ કહેવાયું છે.
જાહેર જગ્યાઓ પર થૂકવું એ ગણાશે ગુનો
RPFના નિર્દેશ અનુસાર જો કોઈ વ્યક્તિ સંક્રમિત થવાનું જાણવા મળે છે કે ટેસ્ટ રિપોર્ટ ન આવ્યો હોય અને તે સ્ટેશન પર હોય તો સ્ટેશન પર હેલ્થ ટીમની તરફથી તેને યાત્રાની મંજૂરી નહીં મળે. આમ છતાં જો તે ટ્રેનમાં સવારી કરશે તો તેને જેલ જવું પડી શકે છે. આ સિવાય જાહેર સ્થળોએ થૂંકવું એ પણ ગુનો ગણાશે અને તેને માટે પણ દંડ થઈ શકે છે.
ગંદગી ફેલાવવા બદલ થશે કાર્યવાહી
સ્ટેશન પરિસર અને ટ્રેનમાં ગંદગી ફેલાવવી કે જનસ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રભાવિત કરનારી ગતિવિધિઓ કરતાં મળશે તો પણ વ્યક્તિ પર સખત કાર્યવાહી કરાશે. રેલ પ્રશાસનની તરફથી કોરોનાને ફેલાતો અટકાવવા માટે ખાસ નિયમો જાહેર કરાયા છે અને તેને ન માનવા બદલ કાર્યવાહી કરાશે.
પાંચ વર્ષની પણ સજા થઈ શકે છે
રેલ્વે પોલીસ ફોર્સે કહ્યું છે કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, સંબંધિત વ્યક્તિ રેલ્વેના કાયદાની કલમ 145, 153 અને 154ના આધારે સજાને પાત્ર બને છે.
કઈ કલમ અનુસાર કેટલી સજા થશે તે જાણો
રેલ અધિનિયમની કમ 145ના આધારે નશામાં હોવું અને આતંક ફેલાવવા બદલ એક મહિનાની સજા થઈ શકે છે. 153ના આધારે જાણી જોઈને અન્ય યાત્રીઓની સુરક્ષાને ખતરામાં રાખવા બદલ પાંચ વર્ષની સજા થઈ શકે છે. તો કલમ 154માં બેદરકારીના કારણે અન્ય યાત્રીઓને જોખમમાં મૂકવા માટે એક વર્ષની કેદ કે દંડ અથવા બંને થઈ શકે છે.