ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. જેને લઈને અનેક રાજ્યોની સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક મહત્વના સામાચાર આવ્યા છે.
કોરોના સંકટ વચ્ચે રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર
પશ્ચિમ રેલવેએ રદ્દ કરી કેટલીક ટ્રેનો
ગુજરાતના પ્રવાસીઓને પણ પડશે અસર
મળતી જાણકારી પ્રમાણે, ભારતીય રેલવે દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેનો રદ્દ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલ કેન્સલ ટ્રેનોની યાદીમાં મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતની અનેક જગ્યાઓની ટ્રેનો સામેલ છે.