લગભગ 48 દિવસ પછી સામાન્ય યાત્રીઓ માટે ટ્રેનની શરૂ કરવાની સુવિધા ચાલુ થઇ રહી છે. ટ્રેન ટિકિટની બુકિંગ આજથી એટલે કે 11 મેના સાંજથી 4 વાગે શરૂ થવાની હતી, પરંતુ યાત્રીઓ ટિકિટ નથી બુક કરાવી શકતા. IRCTC ની વેબસાઇટ ઓપન નથી થઇ રહી.
વાસ્તવમાં 4 વાગ્યાની સાથે જ લોકો ટિકિટ બુક કરાવવા માટે સતત IRCTC ની વેબસાઇટ જોઇ રહ્યા છે, પરંતુ વેબસાઇટ ઑપન નથી થઇ રહી. IRCTC ની મોબાઇલ એપ પણ કામ નથી કરી. એવામાં લોકોને ટિકિટ બુક કરાવવા માટે મુશ્કેલી થઇ રહી છે. જોકે કહેવાઇ રહ્યુ છે કે સાંજે 6 વાગે ફરીથી બુકિંગ શરૂ થશે, જેમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ઉભી નહી થાય.
અસુવિધા માટે દુખ છે : રેલ્વે
Booking for train tickets to begin at 6:00 PM: Indian Railway Catering and Tourism Corporation (IRCTC) pic.twitter.com/jXKWcsA8Nw
જોકે આ વચ્ચે રેલ્વેનું નિવેદન આપ્યુ છે. યાત્રીઓને અસુવિધા માટે દુખ છે. રેલ્વે કહ્યુ કે, સ્પેશિયલ ટ્રેનો સંબંધિત ડેટા IRCTC ની વેબસાઇટ પર ફડી કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે બુકિંગ સુવિધા થોડા સમય પછી ઉપલબ્ધ થશે.
જોકે ટ્રાફિક વધી જતો હોવાથી વેબસાઇટમાં મુશ્કેલી આવી રહી છે. જોકે રેલ્વેને ખબર ન હતી કે બુકિંગ શરૂ થતા જ ટ્રાફિક થશે, પછી કેમ કોઇ ઉપાય ના કર્યા? જે યાત્રીઓને કાલે મુસાફરી કરવાની છે તેઓ ટિકિટ નથી બુક કરાવી શકતા.
કયા રૂટ પર ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન ?
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી ડિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી માટે ચલાવવામાં આવશે.