દેશના મહત્વના રેલવે સ્ટેશનો પર હવે એરપોર્ટની જેમ પ્રવેશ અને નિકાસ થશે. ટિકીટ વગર કોઇ પણ વ્યક્તિ સ્ટેશનની અંદર પ્રવેશ કરી શકશે નહીં. એના માટે જલ્દી રેલવે સ્ટેશનો પર હાલના પ્રવેશ અને નિકાસની પ્રક્રિયાને લાગૂ કરવામાં આવશે. સાથે જ પાટાની બંને સાઇડ ઊંચી દિવાલ બનાવાશે, કારણકે બીજી કોઇ ભીડ વધી શકે નહીં.
રેલ મંત્રાલયનું કહેવું છે કે સ્ટેશન અને ટ્રેનની અંદર યાત્રીઓની સુરક્ષા કરવી મુખ્ય લક્ષ્ય છે. એરપોર્ટ જેવી સુરક્ષા માટે આરપીએફ કમાન્ડોને પણ સીઆિએસએફ કમાન્ડોની જેમ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ કમાન્ડો સ્ટેશનના પ્રત્યેક પ્રવેશ અને નિકાસ દ્વારા પર તૈનાત રહેશે.
આ હેતુ માટે સરકારે 114.18 કરોડ રૂપિયા જારી કર્યા છે. એક નવો એક્સેસ કંટ્રોલ સિસ્ટમ રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવશે, જેનાથી માત્ર ટિકીટ ધારકોને જ પરિસરની અંદર પ્રવેશ મળી શકશે, તેમજ બંને બાજુ ઊંચી દિવાલો પણ બંને તરફ રહેશે જેના કારણે કોઇ પણ વ્યક્તિ બહારથી આવી શકે નહીં.
હાલ આ પ્રકારની પ્રવેશ સિસ્ટમ સૌથી પહેલા ભોપાલના હબીબગંજ અને ગુજરાતના ગાંધીનગર સ્ટેશન પર શરૂ થશે. ત્યારબાદ દિલ્હી અને મુંબઇમાં સ્થિત પ્રમુખ રેલવે સ્ટેશનો પર એને શરૂ કરવામાં આવશે. આરપીએફ એની સાથે જ પોતાના ખાનગી તંત્રને પણ મજબૂત કરશે.
દેશના રેલવે સ્ટેશનો પર હાલ પ્રવેશ અને નિકાસની જે સ્થિતિ છે એમાં વ્યક્તિ જ્યારે ઇચ્છે ત્યારે ત્યાં એન્ટ્રી કરી શકે છે. એના કારણે આતંકીઓ માટે સૌથી સરળ ટાર્ગેટ થાય છે. પહેલા પણ દિલ્હી, મુંબઇ, વારાણસી, લખનઉ અને ગુવાહાટી જેવા સ્ટેશનો પર આતંકી વારદાતા થઇ ચુકી છે.