આજના જમાનામાં 10 પૈસામાં કોઇ વસ્તુ આવી શકે? જો તમને કોઇ આવો સવાલ પૂછે તો શું જવાબ આપો? ચોક્કસથી એમ જ કહેશો કે કશુંય ના આવને. ભલે માર્કેટમાં 50 પૈસા ના ચાલતા હોય, પરંતુ આ જ કિંમતમાં તમે એક વસ્તુ ખરીદી શકો છો અને તે છે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.
IRCTC આપે છે 10 લાખ સુધીનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
વેબસાઇટ અથવા એપથી ટિકિટ બુક કરાવાથી મળશે ઇન્શ્યોરન્સ
જી હા, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ (IRCTC) માત્ર 49 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ આપે છે. જો તમે IRCTC ની વેબસાઇટ અથવા એપથી ટિકિટ બુક કરાવો છો, તો તમને ઇન્શ્યોરન્સને વિકલ્પ મળે છે. તમે ઇચ્છો તો માત્ર 49 પૈસામાં આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઇ શકો છે.
કોણ લઇ શકે છે આ ઇન્શ્યોરન્સ:
આ ઇન્શ્યોરન્સને માત્ર IRCTC ની વેબસાઇટ અને મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવનારા ભારતીય નાગરિક લઇ શકે છે. IRCTC ની વેબસાઇટ અનુસાર, રેલ્વે દુર્ઘટનામાં અથવા યાત્રા દરમિયાન કોઇ પણ ઘટના બને ત્યારે ઇન્શ્યોરન્સ પૉલિસી મૃત્યુ, સ્થાયી પૂર્ણ વિકલાંગતા, સ્થાયી આશંકિ વિકલાંગતાની સાથે હોસ્પિટલ ખર્ચ તથા વાહન ખર્ચ કવર કરે છે.
10 લાખ સુધી મળે છે કવર:
આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં અધિક્તમ કવર 10 લાખ રૂપિયાનું છે. રેલ્વે દુર્ઘટના અથવા તો અપ્રિય ઘટનામાં મૃત્યુ અવથા તો સ્થાયી પૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં 10 લાખ રૂપિયાનું કવર મળશે. સ્થાઇ આંશિક વિકલાંગતાની સ્થિતિમાં આ પૉલિસીમાં 7.5 લાખ રૂપિયાનું કવર મળે છે. ઇજા થવાની સ્થિતિમાં હોસ્પિટલ ખર્ચ માટે 2 લાખ રૂપિયાનું કવરેજ મળે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન માટે 10000 રૂપિયા મળે છે.
આ રીતે લો ઇન્શ્યોરન્સનો લાભ:
કોઇ પણ યાત્રી પોતાની ઑનલાઇન ટિકિટ બુક કરાવે તે સમયે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના સેક્શન પર ક્લિક કરીને આ ઇન્શ્યોરન્સ લઇ શકે છે. આ માટે યાત્રીઓ પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેલ પર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૉલિસી મોકલવાની સૂચના આપવામાં આવે છે. આ સાથે જ નોમિનેશનની ડિટેલ્સ પણ ભરવા માટે એક લિંક પ્રોવાઇડ કરવામાં આવે છે. ટિકિટ બુક કરાવ્યા પછી, યાત્રી સંબંધિત ઇન્શ્યોરન્સ કંપનીની સાઇટ પર જઇને નૉમિનેશન ડિટેલ્સ ભરી શકે છે.એક વખત જ્યારે યાત્રી પ્રીમિયમ ભરી દે છે, તો રદ્દ કરવાની અનૂમતિ મળતી નથી. આ સાથે જ ટિકિટ વેટિંગ લિસ્ટની હોય તો પ્રીમિયમના રિફન્ડની સુવિધા નથી મળતી.
IRCTCનું શ્રીરામ જનરલ ઈન્શ્યોરન્સ કંપની, ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની અને રોયલ સુંદરમ જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે ટાઈ અપ છે જે યાત્રીઓ વળતર આપે છે. યાત્રીઓ ક્લેઇમ ફાઇલ કરતી વખતે આ કંપનીઓનો સંપર્ક કરી શકે છે.