રેલવેએ ટિકિટ આરક્ષણના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા જાહેર કરાશે. કોરોના કાળ સમયે 2 કલાક પહેલા આ યાદી જાહેર થતી હતી. જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલવેએ ટિકિટ આરક્ષણના નિયમોમાં કર્યો ફેરફાર
ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ 30 મિનિટ પહેલા જાહેર કરાશે
કોરોના કાળ સમયે 2 કલાક પહેલા જાહેર થતી હતી યાદી
કોરોનાને કારણે લોકડાઉનમાં તમામ ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે તબક્કાવાર ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. કોરોના કાળ સમયે 2 કલાક પહેલા યાદી જાહેર થતી હતી. જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા બીજી યાદી જાહેર થશે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી દેશમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કર્યું હતુ.
રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના પૂર્વે દિશા-નિર્દેશો હેઠળ પહેલી આરક્ષણ યાદી ટ્રેનોના ઉપડવાના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતી હતી. જેથી જેથી અવેલેબલ બર્થ બીજી આરક્ષણ યાદી તૈયાર થાય તે પહેલા ‘વહેલા તે પહેલાના’ ધોરણે પીઆરએસ કાઉન્ટરો અને ઈન્ટરનેટના માધ્યમથી બુક કરી શકાય.
રેલવેએ કહ્યુ કે રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બીજી આરક્ષણ યાદી ટ્રેનોના ઉપડવાના સમયના ઓછામાં ઓછા અડધા કલાક પહેલા તૈયાર કરવામાં આવે. આ હિસાબે ઓનલાઈન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ બુકિંગ સુવિધા બીજી આરક્ષણ યાદી તૈયાર થતા પહેલા ઉપલબ્ધ કરાવવાની રહેશે. સીઆરઆઈએસ સોફ્ટવેરમાં જરુરી પરિવર્તન કરશે જેથી 10 ઓક્ટોબર સુધીમાં આ સુવિધા મળી રહે.