ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે ખુશખબર છે. હવે તમારી યાત્રા વધુ સરળ અને સુવિધાપૂર્ણ થવાની છે. રેલવે મંત્રી અશ્વિની વૈભવે પ્રવાસીઓની સુવિધા માટે સારી જાહેરાત કરી છે.
ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે ખુશખબર
ખજુરાહોથી દિલ્હી સુધી વંદેભારત ટ્રેન શરૂ થશે
75 વંદેભારત ટ્રેનોના કોચનુ પ્રોડક્શન કરવામાં આવ્યું
75 શહેરોને વંદે ભારત સાથે જોડવાની યોજના
હાલમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખજુરાહોથી દિલ્હી સુધી વંદેભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી. આ દરમ્યાન રેલવે મંત્રીએ જણાવ્યું કે છતરપુર અને ખજુરાહોમાં રેક પૉઈન્ટ્સ સ્વીકૃત થયા છે. ઉલ્લેખનીય છે કે સરકાર દેશના 75 શહેરોને વંદે ભારત ટ્રેનથી જોડવાનો પ્લાન બનાવી રહી છે. જેના માટે ઈન્ટીગ્રલ, ચેન્નઈમા ઝડપથી તૈયારી થઇ રહી છે. અહીં બીજી 75 વંદેભારત ટ્રેનોના કોચનુ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. જેને જલ્દીથી તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, નવા કોચ જૂના મૉડલની તુલનામાં વધુ એડવાન્સ થઇ જશે. આ યાત્રીઓની સુવિધાની દ્રષ્ટિએ વધુ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે.
ઓગષ્ટ સુધી થઇ જશે ઈલેક્ટ્રીફિકેશન !
ખજુરાહો અને દિલ્હીની વચ્ચે વંદે ભારત ટ્રેન પર તાજા અપડેટ આપતા રેલવે મંત્રીએ જણાવ્યું હતુ કે આ રૂટ પર ઓગષ્ટ સુધી ઈલેક્ટ્રીફિકેશનનુ કામ પૂર્ણ થઇ જશે. એટલેકે ત્યાં સુધી વંદે ભારત ટ્રેન પણ ચાલવા લાગશે. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન એક આરામદાયક ફૂલ એસી ચેરવાળી ટ્રેન છે. જેના ખાસ ફીચર્સમાં યુરોપિયન સ્ટાઈલની બેઠકો, એક્જીક્યુટીવ એક્ઝિટ-એન્ટ્રી દરવાજા, મિની પેન્ટ્રી જેવી ઘણી ખાસિયત છે.
વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનશે ખજુરાહો
કાર્યક્રમ દરમ્યાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખજુરાહો સ્ટેશનના પુનર્વિકાસની પણ વાત કહી. તેમણે કહ્યું કે આ સ્ટેશનને વર્લ્ડ ક્લાસના લેવલ પર બનાવવામાં આવશે. વન સ્ટેશન, વન પ્રોડક્ટ યોજનાને પણ વિસ્તાર આપવામાં આવ્યો છે. જેની પાછળ સ્થાનિક ઉત્પાદનોને સ્ટેશનો દ્વારા માર્કેટ આપી શકાશે. એટલેકે હવે મુસાફરો માટે ખજુરાહોની શેર વધુ સરળ થવાની છે. કાર્યક્રમ દરમ્યાન રેલવે મંત્રીના આ નિર્ણયથી ખુશ થઇને રેલવે દ્વારા પ્રવાસ કરનારા યાત્રીઓને કહ્યું, રેલવે મંત્રીએ દિલ જીતી લીધુ.