IRCTCની વેબસાઈટ પર લોગ ઈન કરશો તો તમારે મોબાઈલ વેરિફિકેશન અને ઈ-મેલ વેરિફિકેશનનો વિકલ્પ મળશે.
IRCTCએ દ્વારા આ રીતે કરો બુકિંગ
રેલવેએ બદલી નાખ્યા ટિકિટ બુકિંગના નિયમો
વેરિફિકેશન પ્રોસેસ માટે કરો આ કામ
જો તમે લાંબા સમયથી ટ્રેન ટિકિટ બુક નથી કરી તો બની શકે છે કે IRCTCના નવા નિયમો વિશે તમને ખબર ન હોય. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ઓનલાઈન ટિકિટને લઈને અમુક નવા નિયમો લાગુ કર્યા છે. IRCTCએ યાત્રીઓને કહ્યું છે કે આ વાત ધ્યાનમાં રાખી લો કે તમારુ વેરિફિરેશન પ્રોસેસ પુરી થઈ ગઈ હોય. જેમાં ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પણ શામેલ છે.
ટિકિટ બુકિંગ પર IRCTCના નવા નિયમ
વેરિફિકેશનની આ પ્રક્રિયા પુરી થયા બાદ જ કોઈ યાત્રી ટિકિટ બુક કરી શકશે. જોકે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને 1 મિનિટની અંદર પુરી પણ થઈ જશે. તમે તેને ઘરે બેઠા આરામથી કરી શકો છો. જોકે નિયમિત ટિકિટ બુક કરનાર યાત્રીઓને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારતીય રેલવેએ IRCTC હેઠળ ઓનલાઈન ટિકિટ આપવામાં આવે છે. ટિકિટ માટે યાત્રી આ પોર્ટલ પર ઓનલાઈન અને પાસવર્ડ બનાવે છે. અને પછી ઓનલાઈન બુકિંગનો લાભ ઉઠાવે છે. લોગઈન પાસવર્ડ બનાવવા માટે ઈમેલ અને ફોન નંબરની જાણકારી આપવાની રહે છે. એટલે કે તમે ઈમેલ અને ફોન નંબર વેરીફાઈ થતાની સાથે જ ટિકિટ બુક કરી શકો છો.
ઈ-મેલ આઈડી અને ફોન નંબરનું વેરિફિકેશન
જેવા તમે IRCTCના પોર્ટલમાં લોગ-ઈન કરશો, વેરિફિકેશન માટે એક નવુ પેજ અથવા વિંડો ખુલશે.
અહીં તમારે પોતાનું પહેલાથી રજીસ્ટર્ડ ઈ-મેલ અને મોબાઈલ નંબર નાખીને સબમિટ કરવાનું રહેશે.
એક વાતનું ધ્યાન રાખો કે પેજની ડાબી બાજુ વેરિફિકેશનનું ઓપ્શન છે અને ડાબી બાજુ અડિટ કરવાનું ઓપ્શન છે.
જો ઈ-મેલ, ફોન નંબરની જાણકારીમાં ફેરફાર કરવો છે તો ડાબી બાજુ આપવામાં આવેલા ઓપ્શનથી રજીસ્ટ્રેશન કરો.
દરેક ડિટેલ્સ ભર્યા બાદ તમને આપવામાં આવેલા ફોન નંબર પર એક OTP મોકલવામાં આવશે.
આ OTPને પોર્ટલ પર નાખતાની સાથે જ તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે