ભારતીય રેલ્વેને રાત્રી મુસાફરી દરમિયાન અમુક ખાસ નિયમ જાહેર કર્યા છે. આ નિયમ હેઠળ જો કોઇ યાત્રી લાપરવાહી કરશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
યાત્રીઓની સુવિધા અને ભીડને કંટ્રોલ કરવા રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો
રાત્રે 10 વાગ્યા બાદ ટીટી યાત્રીના ટિકટ ચેક નહીં કરી શકે
રાત્રે 10 વાગ્યા બાદ ઓનલાઇન ફૂડ ડિલિવર કરવામાં આવશે નહીં.
ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખોની સંખ્યામાં લોકો સફર કરે છે. આ કારણ યાત્રીઓની સુવિધા અને ભીડને કંટ્રોલ કરવા માટે રેલ્વે સમય સમય પર નિયમોમાં બદલાવ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ રાત્રી મુસાફરી કરનારા યાત્રીઓ માટે અનેક નિયમ રજૂ કરવામાં આવ્યા છે. જો આ નિયમોની લાપરવાહી કરવામાં આવશે તો રેલ્વે મોટી કાર્યવાહી કરી શકાય છે. તો આવો જાણીએ નિયમો વિશે જાણીએ સંપૂર્ણ વિગત...
ભારતીય રેલ્વેએ અનુસાર, જો કોઇ યાત્રી રાતના 10 વાગ્યા બાદ ચાલતી ટ્રેનમાં ઘોંઘાટ કરે છે, ગીત વગાડે છે, મોંટેથી વાતો કરે છે, તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં જ બીજી બાજુ રેલ્વેએ ટીટી, ઓન બોર્ડિંગ સ્ટાફ, કેટરિંગ સ્ટાફ અને અન્ય કર્મચારિઓનો સહયોગ આપવાનું કહ્યું છે.
રાત્રી યાત્રાના નવા નિયમ
રાત્રીના સમય મોબાઇલ પર કોઇ પણ મોટા અવાજે વાત નહીં કરી શકે
મોટા અવાજે મ્યુઝિક વગાડી શકાશે નહીં.
ટ્રેનની લાઇટને છોડીને રાત્રે 10 વાગ્યા બાદ કોઇપણ અન્ય લાઇટ ચાલુ કરવી નહીં.
રાત્રે 10 વાગ્યા બાદ ટીટી યાત્રીના ટિકટ ચેક નહીં કરી શકે.
ગ્રુપમાં યાત્રા કરનારા યાત્રી રાત્રે 10 વાગ્યા બાદ વાતચીત નહીં કરી શકે.
રાત્રે 10 વાગ્યા બાદ ઓનલાઇન ફૂડ ડિલિવર કરવામાં આવશે નહીં.
ટ્રેનમાં સિગરેટ, દારુ પીવુ અને કોઇ પણ અન્ય ગતિવિધિ કરવાની મનાઇ છે.
જ્વનશીલ પદાર્થને લઇ જવાની અનુમતિ નથી.
મિડિલ બર્થનો શું છે નિયમ?
લોવર બર્થ પર કોઇ યાત્રી 10 વાગ્યા બાદ બેઠેલ છે તો તેને હટાવીને તમે મિજિલ બર્થ ખોલી શકો છો. રાત્રે 10 વાગ્યાથી લઇ સવારે 6 વાગ્યા સુધી મિડિલ બર્થ ખોલી શકાય છે. આ વચ્ચે કોઇપણ યાત્રી તમને પરેશાન કરી શકશે નહીં.