હવે ટ્રેનમાં સફર કરતાં પહેલા તમારે તમારી બેગ અથવા અન્ય સામાનનું વજન પણ નક્કી કરવું પડશે. ફ્લાઇટની જેમ ટ્રેનમાં હવે 35 કિલો વજન સુધી જ સામાન જ ફ્રી માં લઇ જઇ શકશો. સ્લીપર ક્લાસમાં 40 કિલો વજન સુધીની છૂટ આપવામાં આવી છે. એનાથી વધારે વજનનો સામાન પાર્સલના રૂપમાં ફી આપીને લઇ જઇ શકશે.
કડક થશે પાલન
વર્ષ 2006માં લાગૂ ના થઇ શકે. ગત વર્ષે પણ લોકસભામાં વિસ્તારથી ચર્ચા થઇ હતી. હવે જઇને રેલવે એ આ નિયમને કડક લાગૂ કરવાનું કહ્યું છે. સ્લીપર ક્લાસમાં 40 કિલો વજન સુધીનો સામાન જ ફી લઇ જઇ શકશો.
અલગ અલગ ક્લાસને માર્જિનલ છૂટ
રેલવે અનુસાર એસી ફર્સ્ટમાં 15 કિલો તો બાકી શ્રેણીમાં વજનમાં 10-10 કિલોની માર્જિનલ છૂટ આપવામાં આવી છે. એનાથી વધારે વજન લઇ જવા પર પાર્સલ ચાર્જનો છ ગણા વધારે રૂપિયા આપવા પડી શકે છે. વધારાના સામાનની સીમા પર સામાન લઇ જનાર લોકોને પાર્સલ રૂમમાં જઇને સામાન બુક કરાવવો પડશે.
યાત્રી કરી શકે છે ફરિયાદ
જો કોઇ યાત્રીને ટ્રેનમાં બેસતા દરમિયાન સમસ્યા થઇ રહી છે તો એ પણ એની ફરિયાદ ટીટીઇથી કરી શકે છે. ટીટીઇ સામાનને જોઇને અંદાજો લગાવી લેશે કે સામાનનું વજન કેટલું હશે. જો વજન નક્કી સીમાથી વધારે મળ્યું તો ટીટીઇ સામાન પર દંડ પણ લાગી શકે છે. ગમે ત્યારે ચેકિંગ બચવા માટે યાત્રીઓને હવે ટ્રેનોમાં ચઢતા પહેલા સતર્ક થવું પડશે.