ભારતીય રેલ્વેએ રવિવારે 69 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવી હતી. રેલ્વેએ 1 મેથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું શરૂ કર્યું હતું. સાથે જ 2 દિવસ બાદ પણ શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચાલશે કે નહીં તેને માટેની કોઈ જાણકારી હાલ સુધી આપવામાં આવી નથી.
શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને લઈને લેવાશે નિર્ણય
રવિવારે રેલ્વેએ 69 ટ્રેન ચલાવી હતી
રેલ્વે પાસે કરવામાં આવી હતી 321 શ્રમિક ટ્રેનની માંગ
IRCTC એટલે કે ભારતીય રેલ્વેએ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને બંધ કરવાના સંકેત આપ્યા છે. ભારતીય રેલ્વેને રાજ્યો તરફથી 321 વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને ચલાવવાનો અનુરોધ કર્યો છે. એવી સંભાવના છે કે રેલ્વે તરત જ આ સેવાને સમાપ્ત કરવાનો નિર્ણય લે.
રેલ્વે શ્રમિકોના લિસ્ટ પર કરશે નજર પછી લેશે નિર્ણય
રેલ્વેનું કહેવું છે કે જ્યાં સુધી માંગ રહેશે તેઓ આ ટ્રેનને ચલાવશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષની તરફથી 29 મેના રોજ રાજ્યોને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. તેમાં કહેવાયું હતું કે તેઓ હાલમાં પણ ઘરે જવા ઈચ્છતા શ્રમિક પ્રવાસીઓના લિસ્ટ પર નજર કરશે અને સાથે 30 મે સુધીની એવી ટ્રેનની પોતાની જરૂરિયાતની સામે રાખશે જેથી એવી સેવાઓની યોજના કરી શકાય.
રેલ્વેએ 56 લાખ પ્રવાસી શ્રમિકોને પહોંચાડ્યા તેમના ઘરે
મળતી માહિતી અનુસાર 30 મે સુધી રેલ્વેને 321 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની માંગ કરવામાં આવી હતી. રેલ્વે આજ સુધી લગભગ 4000 એવી ટ્રેનથી લગભગ 56 લાખ પ્રવાસી શ્રમિકો અને કામદારોને તેમના ઘરે પહોંચાડી ચૂક્યું છે. પણ હવે આ ટ્રેનની માંગ ઘટી રહી છે. રેલ્વે પાસે 321 ટ્રેનની માંગ કરવામાં આવી છે તેમાં મોટાભાગની ટ્રેન પશ્ચિમ બંગાળ માટેની છે. રોજની 200થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહેલી ઈન્ડિયન રેલ્વે 321 ટ્રેનની માંગને આવનારા 2 દિવસમાં પૂરું કરવાની ક્ષમતા છે. એવામાં 2 દિવસ પછી આ શ્રમિક ટ્રેન ચાલશે કે નહીં તેની કોઈ જાણકારી મળી નથી.
અત્યારે 200 સ્પેશ્યલ પેસેન્જર ટ્રેન ચાલુ કરાઈ છે
રેલ્વેએ સોમવારે દેશભરમાં લગભગ 1.45 લાખ પ્રવાસીઓની સાથે 200 સ્પેશ્યલ ટ્રેન સેવા ચાલુ કરી છે. તેમાંથી લગભગ 60 ટકા ટ્રેન ઉત્તર ભારતમાં શરૂ થઈ છે. એવી પહેલી ટ્રેન મુંઈના છત્રપતિ શિવાજી મહારાજ સ્ટેશનથી રાતે 12.10ના સમયે વારાણસી માટે નીકળશે. આ ટ્રેનના 60 ટકા અવરજવર ઉત્તર રેલ્વેની છે. તેના નેટવર્કમાં 118 ટ્રેન ચાલી રહી છે તેમાં 100 ટ્રેન એવી છે જે આ ઝોનથી રવાના થઈ છે. દિલ્હીમાં 36 નવી ટ્રેન દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચ્યું છે અને અહીંથી રવાના થઈ તો 8 ટ્રેન ત્યાંથી પસાર થઈ. નિઝામુદ્દીન સ્ટેશન પર 18 ટ્રેન પહોંચી તો ત્યાંથી રવાના થઈ એક ટ્રેન પસાર થઈ. આનંદવિહાર રેલ્વે સ્ટેશન પર 10 ટ્રેન પહોંચી તો ત્યાંથી રવાના થઈ. જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પર 4 ટ્રેન પહોંચી અને ત્યાંથી 4 ટ્રેન રવાના થઈ.