ભારતીય રેલવેએ કોરોના વાયરસ લૉકડાઉનને કારણે ફસાયેલા લગભગ 36 લાખ પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે આગામી 10 દિવસોમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો કાર્યક્રમ તૈયાર કરી લીધો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે શનિવારે તેની જાણકારી આપી.
લૉકડાઉનને કારણે ફસાયેલા લગભગ 36 લાખ પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડાશે
વી કે યાદવે જણાવ્યું કે રેલવેએ લગભગ 36 લાખ ફસાયેલા પ્રવાસીઓને પહોંચાડવા માટે ગત 23 દિવસોમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી છે. તેઓએ કહ્યું કે દેશભરમાં હવે 1000 ટિકિટ કાઉન્ટર ખુલી ચૂક્યા છે તથા જલ્દી જ વધુ કાઉન્ટર ખુલશે.
અધ્યક્ષે કહ્યું કે અમે ગત ચાર દિવસોમાં રોજ સરેરાશ 260 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી છે અને દરરોજ 3 લાખ યાત્રીઓને તેમના મુળ સ્થાને પહોંચાડ્યા છે. જ્યારે તેમને એક જુનથી ચાલનારી સ્પેશિયલ ટ્રેનના ભાડા વિશે પૂછવામાં આવ્યું તો તેઓેએ કહ્યું કે લૉકડાઉનથી પહેલાનું સામાન્ય ભાડુ જ વસૂલવામાં આવી રહ્યું છે. તેઓએ રિપિટ કર્યું કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના ખર્ચનો 85 ટકા ભાગ કેન્દ્ર, જ્યારે રાજ્ય 15 ટકા ચૂકવણી કરી રહ્યું છે.
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા વાવાઝોડા અમ્ફાનને પગલે 26 મે સુધી રાજ્યમાં તમામ પ્રવાસી સ્પેશિયલ ટ્રેન સ્થગિત કરવાની અપીલ કરવાને લઇને મોકલવામાં આવેલા પત્ર અંગે યાદવે કહ્યું કે આમ કુદરતી સંકટને કારણે થયું છે અને જલ્દી જ વસ્તુઓ સામાન્ય બની જશે.
તેઓએ કહ્યું કે પ.બંગાળના મુખ્ય સચિવે મને પત્ર લખ્યો કે સ્થિતિને સામાન્ય બનાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. એવામાં તેઓ અમને જલ્દી જ બતાવશે કે ક્યારે તેઓ ટ્રેનોને મંજૂરી આપશે. જેટલી જલ્દી તેઓ મંજૂરી આપશે, અમે પ.બંગાળ માટે ટ્રેન દોડાવીશું.