રેલ્વેમાં મુસાફરી કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. વાસ્તવમાં હવે ટ્રેનથી યાત્રા કરવી તમારા ખિસ્સા માટે મોંઘી સાબિત થશે.
1 સપ્ટેમ્બરથી ઑનલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવવાની સર્વિસ પર ચાર્જ ફરી લેવામાં આવશે.
હવે કરવી પડશે આટલી ચૂકવણી:
- IRCTC દ્વારા જારી કરવામાં આવેલા 30 ઓગસ્ટના આદેશ અનુસાર, હવે નૉન એસી ક્લાસ માટે 15 રૂપિયા પ્રતિ ટિકિટ અને AC ક્લાસ માટે 30 રૂપિયા પ્રતિ ટિકિટનો શૂલ્ક વસૂલવામાં આવશે. અહીંયા તમને જણાવીએ કે, GST અલગથી વસૂલવામાં આવશે.
પહેલા વસૂલવામાં આવતી આટલી કિંમત:
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ડિજિટલ ઇન્ડિયા પરિયોજના હેઠળ ડિજિટલ ચૂકવણી પ્રોત્સાહન આપવા માટે 3 વર્ષ પહેલા આ સેવા શુલ્કને લઇ લીધો હતો. આ પહેલા IRCTC નૉન એસી ઇ ટિકિટ પર 20 રૂપિયા અને AC ક્લાસ માટે 40 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં રેલ્વે બોર્ડે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ને ઑનલાઇન ટિકિટ બુક કરાવનાર યાત્રીઓના સર્વિસ ચાર્જ ફરીથી વસૂલવાની મંજૂરી આપી દીધી છે.
પત્રમાં બોર્ડે કરી આ વાત:
30 ઓગસ્ટના લખેલા પત્રમાં રેલ્વે બોર્ડે કહ્યુ કે,ન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઇ ટિકિટ બુકિંગની સેવા પર ફરી શુલ્ક વસુલવાનો મામલો બનાવ્યો હતો અને જેની સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ પત્રમાં આગળ વિત્ત મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે, શુલ્ક માફ કરવાની યોજના થોડા સમય માટે હતી અને રેલ્વે મંત્રાલય ઇ ટિકિટનુ શુલ્ક વસુલવાનુ ફરી શરૂ કરશે. અધિકારીઓ અનુસાર, સેવા શુલ્ક બંધ કર્યા પછી, IRCTCએ વિત્તીય વર્ષ 2016-17માં ઇન્ટરનેટ ટિકટિંગની આવકમાં 26% નો ઘટાડો જોયો નોંધાયો હતો.