ભારતીય રેલ્વે તમને પોખરા અને કાઠમંડુની મુલાકાત લેવાની તક આપી રહી છે. આ 4 રાત અને 5 દિવસનું પેકેજ હશે.
ઉનાળામાં ફરવા જવું હોય તો ખાસ વાંચો
IRCTC લાવ્યું ખાસ ટૂર પેકેજ
જાણો તેના વિશે
આ વખતે જો તમે ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને પોખરા અને કાઠમંડુની મુલાકાત લેવાની તક મળશે. આ 4 રાત અને 5 દિવસનું પેકેજ હશે. IRCTCએ ટ્વિટ કરીને આ પેકેજ વિશે જણાવ્યું છે.
IRCTCએ કર્યું ટ્વિટ
IRCTCએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે તમારી પાસે નેપાળ જવાની સારી તક છે. તમને પશુપતિનાથ મંદિર, પાટણ દરબાર સ્ક્વેર, સ્વયંભુનાથ સ્તૂપ અને તેમાંના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજ માટે તમારે પ્રતિ વ્યક્તિ માત્ર 29000 રૂપિયા ખર્ચવા પડશે.
Explore the 'Gems of Nepal', visit Pashupatinath Temple, Patan Darbar Square, Swayambhunath Stupa, & more places with IRCTC air tour package for 5D/4N starts from ₹29000/- pp*. For details, visit https://t.co/ztbTKmqNxX@AmritMahotsav
કેટલો ખર્ચ થશે?
સિંગલ ઓક્યુપન્સીની વાત કરીએ તો તમારે પ્રતિ વ્યક્તિ 38200 રૂપિયાનો ખર્ચ થશે. આ સિવાય જો તમે ડબલ ઓક્યુપેસીની વાત કરીએ તો તમારે પ્રતિ વ્યક્તિ 30300 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાં જ ટ્રિપલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ 29000 રૂપિયાનો ખર્ચ થશે.
ઓફિશ્યલ લિંક ચેક કરો
આ પેકેજ વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો http://bit.ly/3wKZhIt. આ સિવાય તમે ફોન નંબર 8287930922 અને 8287930908 પર પણ સંપર્ક કરી શકો છો.