રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનના કારણે ભારતીય રેલ્વેએ અનેક ટ્રેનનો રૂટ ડાયવર્ટ કર્યો છે અને અનેક ટ્રેનને કેન્સલ કરવાનું નક્કી કર્યું છે. જો તમે પણ વેસ્ટર્ન રેલ્વેથી મુસાફરી કરી રહ્યા છો તો આ લિસ્ટ તમારી મદદ કરશે.
ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
ગુર્જર આંદોલનને કારણે કેટલીક ટ્રેનના રૂટ બદલાયા
રેલ્વેએ અનેક ટ્રેનને કેન્સલ પણ કરી
Due to Gurjar agitation in Rajasthan, several more Special trains of WR have been affected.
વેસ્ટર્ન રેલ્વેએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે 02059/ 02060 રેલ્વેએ કોટા- હજરત નિઝામુદ્દીન-કોટા સ્પેશ્યલ ટ્રેન જે 8 નવેમ્બરે જવાની હતી તેને કેન્સલ કરી છે. જાણો અન્ય કયા નંબરની ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે.
WR will run 5 Special Trains with single trips from Surat to Saharsa, Surat to Darbhanga, Indore to Muzaffarpur & Indore to Khagaria.
Booking for 09311 & 09315 will open from 08.11.20 & for 09581, 09583 & 09317 will open from 09.11.20 at nominated PRS counters & on IRCTC website pic.twitter.com/pF6Rb0A9GY
વેસ્ટર્ન રેલ્વેએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ગુર્જર આંદોલન અને ખેડૂત આંદોલનના કારણે ટ્રેનને કેન્સલ કરાઈ છે તો કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયા છે. 02059/ 02060 રેલ્વેએ કોટા- હજરત નિઝામુદ્દીન-કોટા સ્પેશ્યલ ટ્રેન જે 8 નવેમ્બરે જવાની હતી તેને કેન્સલ કરી છે. આ સિવાય ગાડી નંબર 09027/09028 બાંદ્રા- જમ્મૂ તાવી અને જમ્મૂ તાવી- બાંદ્રા સ્પેશ્યલ ટ્રેનને ગઈકાલે રદ કરાઈ હતી.
Diversion of trains of 8.11.20 due to Gurjar agitation in Kota Div. of WCR. #WRUpdate
00949 Okha-Guwahati Parcel Spl via Sawai Madhopur-Jaipur-Bandikui-Bharatpur
00936 Palwal-Ahmedabad Parcel Spl via Rewari-Jaipur-Palanpur
રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આરક્ષણ આંદોલનના કારણે લગભગ 12 ગાડીઓના રૂટ બદલવામાં આવ્યા છે. જે ટ્રેનના રૂટ બદલાયા છે તેમાં New Delhi- Trivendrum special train, Mumbai Central special train, Amritsar-Bandraterminus Paschim special જેવી અનેક ટ્રેન સામેલ છે.
Due to Gurjar agitation in Kota Div. of WCR, Train No. 09040 Muzaffarpur - Bandra Terminus Spl of 08.11.2020 will be diverted via Agra Fort - Bharatpur - Bandikui - Jaipur - Sawai Madhopur.@RailMinIndia@drmbct
આ પહેલાં પણ રેલ્વેએ અનેક ટ્રેનના રૂટ બદલ્યા હતા. 2 દિવસ પહેલાં રેલ્વેએ નિઝામુદ્દીન કોટા. ભરતપુર, બાંદીકુઈ, જયપુર, સવાઈ માઘોપુર થઈને કોટા જનારી
ટ્રેન ચલાવી . આ સિવાય અવધ એક્સપ્રેસ આજે સવાઈ માઘોપુર, બાંદીકુઈ, ભરતપુર અને આગ્રા ફોર્ટ થઈને ચાલશે.
લોકોને થઈ રહી છે મુશ્કેલી
1 નવેમ્બરથી પ્રદેશમાં શરૂ કરાયેલા એમબીસી વર્ગના આરક્ષણ આંદોલનને લઈને એક તરફ વ્યવસ્થાઓ ઠાળે પડી રહી નથી ત્યાં અન્ય તરફ આરક્ષણ પ્રભાવિત વિસ્તારોમાં પણ લોકોને મુશ્કેલી આવી રહી છે. સડક સૂમસામ જોવા મળે છે, સરકાર સતત આંદોલનકારીઓની માંગ પર વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.પણ આંદોલનકારીઓ રેલ્વેના પાટા પરથી હટાવા ત્યાં સુધી તૈયાર નથી જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય.