લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું દેશમાં ટ્રેનો બંધ થવાનો સિલસિલો ફરી શરુ થઈ શકે છે. આન લઈને રેલવે બોર્ડે એક નિવેદન જારી કર્યુ છે.
ટ્રેનોના બંધ થવાને લઈને રેલવેએ મોટુ નિવેદન આપ્યું
યાત્રી કૃપ્યા ધ્યાન દે, પેનિક ન થાય, ટ્રેનો ચાલતી રહેશે.
સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરી લોકોને ધૈર્ય બનાવી રાખવા અપીલ કરી
યાત્રી કૃપ્યા ધ્યાન દે, પેનિક ન થાય, ટ્રેનો ચાલતી રહેશે.
કોરોનાની બીજી લહેરના વધતા કેસને જોતા રાજ્ય સરકારોએ પ્રતિબંધો લગાવવાનું શરુ કરી દીધુ છે. અનેક રાજ્યોમાં નાઈટ કર્ફયૂ લગાવી દીધો છે. કેટલાક શહેરોમાં પૂર્ણ લોકડાઉન તો ક્યાંક વીકેન્ડ લોકડાઉનની જાહેરાતો થઈ છે. તેવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું દેશમાં ટ્રેનો બંધ થવાનો સિલસિલો ફરી શરુ થઈ શકે છે. આન લઈને રેલવે બોર્ડે એક નિવેદન જારી કર્યુ છે. મધ્ય રેલવેએ ટ્વીટ કરી કહ્યુ કે ‘યાત્રી કૃપ્યા ધ્યાન દે, પેનિક ન થાય, ટ્રેનો ચાલતી રહેશે.
રેલવે બોર્ડે બુધવારે એક નિવેદન જારી કરી કહ્યુ કે સતત સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. લોકોને એ સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે લાંબા અંતરની જાહેર નિયમિત તથા સ્પેશિયલ ટ્રેનો ચાલતી રહેશે. આ તમામ સ્પેશિયલ ટ્રેનો કોવિડ 19ના નિયમો તથા માપદંડોના પાલન માટે ફક્ત કન્ફોર્મ ટિકિટ ધારક પ્રવાસીઓને બોર્ડિંગની પરવાનગી રહેશે.
90 મિનિટ પહેલા પહોંચો સ્ટેશન
રેલવેએ કહ્યું કે લોકોને વિનંતી છે કે તે પેનિક ન થાય અને સ્ટેશનો પર ભીડ ન કરે. ફક્ત 90 મિનિટ પહેલા સ્ટેશન પહોંચે. રેલવે વેટિંગ લિસ્ટ પર સતત નજર રાખે. જેવી જરુરિયાત હશે તે હિસાબે ટ્રેનો ચલાવવામાં આવશે.
मध्य की एक बार पुनःअपील
मध्य रेल द्वारा लगातार समर स्पेशल ट्रेनें चलाई जा रही है। लोगों को यह भी स्पष्ट किया जाता है कि लंबी दूरी की घोषित नियमित एवं स्पेशल ट्रेनें चलती रहेंगीं, इन सभी स्पेशल ट्रेनों में कोविड 19 के नियमों व मानदंडों के पालन हेतु केवल कन्फर्म टिकट धारक 1/2
સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરી લોકોને ધૈર્ય બનાવી રાખવા અપીલ કરી
કોરોનાના વધતા કહેરના કારણે મહારાષ્ટ્રમાં સખત પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. ટોટલ લોકડાઉનની આશંકામાં લોકો એક વાર ફરી પોતાનો સામાન ઉઠાવીને ગામ તરફ જવા નીકળ્યા છે. તેવામાં રેલવે સ્ટેશનો પર ભારે ભીડ ભેગી થઈ છે. લોકોમાં પેનિક બાઈંગ જોવા મળતા સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરી લોકોને ધૈર્ય બનાવી રાખવા અપીલ કરી છે.
મુંબઈમાં પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પણ લાગ્યો પ્રતિબંધ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આ વ્યાપક પ્રસાર જોવા મળી રહ્યો છે. આને જોતા અનેક રેલવે સ્ટેશનો પર આજે તાત્કાલીક અસરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ છે તેમાં લોકમાન્ય તિલક ટર્મિનલ, કલ્યાણ, ઠાણે, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સામેલ છે. મધ્ય રેલવેના સીપીઆરઓના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી છે.