રેલ યાત્રીઓ માટે એક જરૂરી સમાચાર આવ્યા છે. હવે ટ્રેન યાત્રીઓને મળવા વાળી મોટી સુવિધા હવે નહીં મળે.
રેલ યાત્રીઓ માટે એક જરૂરી સમાચાર
ટ્રેનમાં WIFI ઉપલબ્ધ કરવાની યોજના બંધ કરવામાં આવી
આ પાછળ જવાબદાર છે ટેકનિકલ કારણ
રેલ યાત્રીઓ માટે એક જરૂરી સમાચાર
રેલ યાત્રીઓ માટે એક જરૂરી સમાચાર આવ્યા છે. હવે ટ્રેન યાત્રીઓને મળવા વાળી મોટી સુવિધા હવે નહીં મળે. મુખ્ય રીતે ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રીઓની સુવિધા માટે ટ્રેન અને રેલવે સ્ટેશન પર મળતી WIFI સુવિધા આપી રહી છે. દેશના ઘણા બધા રેલવે સ્ટેશન પર વાઇફાઈ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવ્યા બાદ, સરકારે ઘોષણા કરી હતી કે તે દેશભરમાં ચાલતી ટ્રેનોમાં મફત WIFI પ્રદાન કરશે.
ટ્રેનમાં WIFI ઉપલબ્ધ કરવાની યોજના બંધ કરવામાં આવી
વર્ષ 2019માં પૂર્વ રેલેવે મંત્રી પિયુષ ગોયલે ઘોષણા કરી હતી કે કેન્દ્ર સાડા ચાર વર્ષમાં ટ્રેનમાં WIFI ઉપલબ્ધ કરવા માટેણી ઘણી યોજનાઓ બનાવી રહ્યું છે. પણ આમાં ઘણા બધા પડકારો આવ્યા છે જેના કારણે રેલવેએ હવે આ પ્રોજેક્ટને હટાવી દેવામાં આવ્યો છે. PTI ના એક રિપોર્ટ અનુસાર, રેલવેએ ટ્રેનોમાં ઈન્ટરનેટ કનેક્શન આપવાની ચાલી રહેલ યોજનાને બંધ કરી દીધી છે. લોકસભામાં આ વાતણી ખરાઈ કરવામાં આવી હતી. લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે કહ્યું કે એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા વાઇફાઈની સુવિધા WIFI ની સુવિધા શરૂ કરવામાં આવી.
આ પાછળ જવાબદાર છે ટેકનિકલ કારણ
આ પાયલોટ પ્રોજેક્ટમાં આ જોવામાં આવ્યું કે ટેકનોલોજી ઇન ઇન્સેટીવ કેપિટલ સાથે રેંકરીંગ કાસ્ટની જરૂરિયાત પડતી હોય છે, જેમ કે બેન્ડવિથ શુલ્ક, જો આ પ્રોજેકટનો ખર્ચ ખૂબ જ વધારી દેતા હતા. વધુમાં ટ્રેનમાં મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી ઈન્ટરનેટ સેવાઓમાં બેન્ડવિથ અપૂરતી હતી.