ભારતીય રેલ્વેએ ગઈકાલે જાહેરાત કરી હતી કે 22 મેથી શ્રમિક અને રાજધાની સ્પેશિયલ ટ્રેનની માફક જ હવે મેલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ ટ્રેન માટેના બુકંગ 15મેથી શરૂ થવાનું હતું. આ નિયમને પડકારતા હાલમાં રેલ્વેએ નવી જાહેરાત કરી છે. જેમાં કહેવાયું છે કે 30 જૂન સુધી નિયમિત પ્રવાસી ટ્રેનોનું બુકિંગ રદ્દ કરાયું છે. ફક્ત શ્રમિક ટ્રેનોને જ ચલાવવામાં આવશે. જે લોકોના બુકિંગ થયા છે તેમને ભારતીય રેલ્વે રિફંડ આપશે.
ભારતીય રેલ્વેએ ટિકિટ બુકિંગ રદ્દ કર્યા
પ્રવાસી શ્રમિકો માટેની ટ્રેનો ચાલુ રહેશે
30 જૂન સુધીના ટિકિટ બુકિંગ રદ્દ કર્યા
બુકિંગ કરાવેલા પેસેંજરોને અપાશે રિફન્ડ
Indian Railways cancels all tickets booked to travel on or before June 30th, 2020. Refunds given to all tickets booked till 30th June 2020. All special trains and Shramik Special train to however ply as usual. pic.twitter.com/5Pgs09WB2t
અગાઉ ભારતીય રેલ્વેએ જાહેરાત કરી હતી કે તે શ્રમિક ટ્રેનની જેમ જ શતાબ્દી સ્પેશિયલ અને ઈન્ટર સિટી સ્પેશિયલના સમાવેશની શક્યતા છે. આ ટ્રેનો આગામી 22મી મેથી ચાલશે. આ ટ્રેનોમાં મુસાફરી માટે ટિકીટ બુકિંગ 15 મેથી શરૂ થશે. IRCTCની વેબસાઈટ દ્વારા જ બુકિંગ કરવામાં આવશે. આ ગાડીઓમાં તત્કાલ અને પ્રિમિયમ તત્કાલ ટિકીટની વ્યવસ્થા નહીં હોય, પણ વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. એક્ઝિક્યૂટિવ ક્લાસના વેઈટિંગમાં 20 ટિકિટ જ મળશે.
જ્યારે AC 2 ટાયરમાં 50 અને AC 3 ટાયરમાં 100 સીટોનું વેઈટિંગ લિસ્ટ રખાશે. તેમજ સ્લીપર ક્લાસમાં વેઈટિંગ લિસ્ટમાં 200 ટિકીટ અપાશે. જો કે ટ્રેનો કયા રૂટ પર ચાલશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, અગાઉ સરકારે 15 સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે. આ તમામ ટ્રેનો ચાલુ રહેશે.
15 સ્પેશ્યલ ટ્રેનો થઈ છે શરૂ
ભારતીય રેલ્વેએ 12 મેથી 15 સ્પેશયલ ટ્રેનો ચલાવવાની શરૂ થઇ છે. આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગામ,મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી માટે દોડાવાશે.
કોરોના વાયરસને લઇને નિયમો અલગ
રેલવેએ સોમવારે 15 વિશેષ ટ્રેન માટે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા, જે લાગુ થઈ ચુક્યા છે. જેના પ્રમાણે યાત્રીઓને તેમનું ભોજન અને ચાદર લાવવા માટે કહેવાયું છે અને સ્વાસ્થ્યની તપાસ માટે ટ્રેનના રવાના થયા ના લગભગ 90 મિનિટ પહેલા આવવા માટે કહેવાયું છે. આ યાત્રિઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પણ ફરજીયાત હશે.