ઈન્ડિયન રેલવેએ અનેક ટ્રેનો કેન્સલ કરી દીધી છે. ટ્રેનો કેન્સલ કરી દીધી છે.
સ્પેશિયલ ટ્રેનો અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી
દક્ષિણ રેલવે અને સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી
આજથી આગલા આદેશ સુધી કેટલીક ટ્રેનો કેન્સલ કરી છે
જો તમે ક્યાંય જવા માટે આ ટ્રેનોમાં ટિકિટ કરાવી છે તો આ સમાચા તમારા માટે ખૂબ જરુરી છે. મુસાફરી પહેલા એક વાર તમારી ટ્રેનોનું સ્ટેટસ જરુર ચેક કરી લો. એવું ન કરવા પર તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ રેલવે અને સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. સેન્ટ્રલ રેલવેએ અનેક ટ્રેનોને 27 એપ્રિલથી લઈને 11 મે સુધી કેન્સલ કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ રેલવેએ 29 એપ્રિલ એટલે કે આજથી આગલા આદેશ સુધી કેટલીક ટ્રેનો કેન્સલ કરી છે.
સ્પેશિયલ ટ્રેનો અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી
દક્ષિણ રેલેવેએ એક ટ્વીટમાં લખ્યુ છે કે ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની ઓછી સંખ્યાને જોતા સ્પેશિયલ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. પહેલી ટ્રેન 07107 છે જે મડગામથી મંગલોર સેન્ટ્રલ સુધી ચાલે છે. આ ટ્રેનો 29 એપ્રિલ 2021થી અનિશ્ચિતકાળ માટે રદ્દ કરવામા આવી રહી છે. આગળ સ્પેશિયલ ટ્રેનો ક્યારે શરુ થશે. એ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
આ ઉપરાંત બીજી સ્પેશિયલ ટ્રેન 07108 છે જે મંગલોર સેન્ટ્રલથી મડગામ સુધી ચાલે છે. આ ટ્રેનને પણ પ્રવાસીઓની ઓછી સંખ્યાના કારણે 29 એપ્રિલથી અનિશ્ચિત સમય માટે રદ્દ કરવામાં આવી છે.