કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ છે. ખેડૂતોના વિરોધને લઈને ભારતીય રેલ્વેએ કેટલીક ટ્રેનો રદ્ કરી છે અને કેટલાકના રૂટ બદલ્યા છે. કેટલીક ટ્રેન આંશિક રીતે પણ રદ્ કરાઈ છે.
ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
ભારત બંધને લઈને અનેક ટ્રેનના રૂટ કરાયા ડાયવર્ટ
ભારતીય રેલ્વેએ કેટલીક ટ્રેનો રદ્ કરી
રેલ્વેએ કહ્યું આ ટ્રેનો થશે રદ્દ
રેલ્વેએ જે ટ્રેનોને આંશિક રીતે રદ્ કરી છે તે અડધા રસ્તે ટર્મિનેટ થશે. આ પછી ફરીથી શરૂ થશે. રેલ્વેએ અજમેરથી અમૃતસર જનારી ટ્રેન 09613 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન, અમૃતસરથી અજમેર આવનારી 09612 સ્પેશ્યલ ટ્રેન 9 ડિસેમ્બરે રદ્ કરી છે. ડિબ્રુગઢથી અમૃતસર એેક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અમૃતસરથતી ડિબ્રિગઢ આવનારી 05212 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ્ થશે. આ સિવાય અમૃતસર- જયનગર એક્સપ્રેસ 8 ડિસેમ્બરે ડાયવર્ટ કરાશે. આ ટ્રેન અમૃતસર- તરનતારન-બીસ થઈને પસાર થશે.