જો આ તહેવારની સીઝનમાં તમે ઘરે જવાનો પ્લાન કરી રહ્યા છો તો ભારતીય રેલ્વેની તરફથી જાહેર કરાયેલી જાણકારી અનુસાર તમે ફટાકડા કે ગેસ સિલિન્ડર સાથે લઈ જઈ શકતા નથી. જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
તહેવારની સીઝનમાં રેલ્વેનું એલર્ટ
મુસાફરીમાં ફટાકડા સાથે લઈ જઈ શકશો નહીં
નિયમને તોડવાથી થઈ શકે છે મુશ્કેલી
કોઈ પણ યાત્રીની પાસે કોઈ પણ પ્રકારના ફટાકડા મળશે કે પછી તે છુપાવીને પણ લઈ જશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. રેલ્વેએ કહ્યું કે કોઈ પણ પ્રકારની ચાલાકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમે આવું કરો છો તો રેલ્વેના એક્ટ 1989ના સેક્શન 67નું ઉલ્લંઘન ગણાશે.
આ એક્ટના આધારે કોઈ પણ યાત્રા કરતી સમયે સાથે ફટાકડા, ગેસ સિલિન્ડર જેવો સામાન સાથે રાખીને જઈ શકશે નહીં. કોઈ પણ યાત્રી આવું કરશે તો તે નિયમોની વિરુદ્ધ ગણાશે.
આ સાથે રેલ્વે તરફથી આ પ્રકારના સામાનને લઈ જવાની પરમિશન મળે તેની અપેક્ષા રાખવી નહીં. રેલ્વેના આધારે જો કોઈ યાત્રી આવું કરતા પકડાશે તો તે રેલ્વે એક્ટના સેક્શન 164 અને 165 માટે દંડનીય ગુનામાં સામેલ ગણાશે.
આ વર્ષે દિવાળીએ સેન્ટ્રલ રેલ્વેએ સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી છે. જો કોઈ પણ યાત્રી આા સામાન લઈને જશે તો તેની પર અને સાથે જ એક રાજ્યથી અન્ય રાજ્યમાં સ્મગલિંગને લઈને બારીક નજર રાખવામાં આવી રહી છે.
આ સિવાય રેલ્વે સ્ટેશનો પર હાજર સુરક્ષાકર્મી પણ આ વાતની તપાસ કરી રહ્યા છે કે યાત્રી પોતાના સામાનની સાથે દિવાળીને માટે ફટાકડા લઈ જઈ શકશે નહીં.
આ વર્ષે છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વેની તરફથી સતત સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરાઈ છે. તેનાથી યાત્રીઓ પોતાના ઘરમાં જવા માટે રાહત મેળવશે. જ્યારે કિસાન અને ગુર્જર આંદદોલનને કારણે પણ અનેક ટ્રેન રદ કરાઈ છે. આ સમયે પોતાની ટ્રેનની સંપૂર્ણ જાણકારી મેળવો તે જરૂરી છે.