છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે વિભાગ પોતાની લેટ લતીફ વાળી ઈમેજ સુધારવા માટે ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રેલવે પણ તેના સમય વિશે નિશ્ચિત છે. ટ્રેનોના મોડા પડવાના કલાકોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
રેલવે કર્મચારીઓએ પોતાની તાકાત બતાવી
100 ટકા સફળતા મેળવી રેલવે એ
હવે રેલવે મોડી પડવાની ફરિયાદ નહીં કરી શકો
રેલવે કર્મચારીઓએ પોતાની તાકાત બતાવી
ભારતીય રેલવે એ દેશની જીવનરેખા છે. રેલવેએ કોરોના ચેપ અને લોકડાઉન વચ્ચે ફસાયેલા કામદારો અને નાગરિકો માટેની સેવા શરૂ કરી હતી. આ દરમિયાન ભારતીય રેલવેએ નવી સફળતા મેળવી છે. 1 જુલાઈએ ભારતીય રેલવે દ્વારા સંચાલિત તમામ ટ્રેનો સમયસર તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચી હતી. આ એક મહાન સિદ્ધિ છે.
100 ટકા સફળતા
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય રેલવે 1 જુલાઇએ 201 ટ્રેન ચલાવી હતી. આ સમય દરમિયાન ટ્રેન સમયસર ઉપડી અને નિર્ધારિત સમયે લક્ષ્યસ્થાન પર પહોંચી. એકંદરે રેલવે વિભાગે સમયની દ્રષ્ટિએ 100% સફળતા પ્રાપ્ત કરી છે.
નિષ્ણાતો કહે છે કે ભારતીય ઇતિહાસમાં આજ સુધી રેલવેને આ સફળતા મળી નહોતી. જો કે 23 જૂને, રેલવેએ તેની લગભગ તમામ ટ્રેનો સમયસર ચલાવી હતી. પરંતુ તે સમય દરમિયાન 99.54% ટ્રેનો સમયસર તેમના લક્ષ્ય સ્થાન પર પહોંચવામાં સક્ષમ હતી.
નોંધનીય છે કે ભારતીય રેલવેનું નામ હંમેશાં સમય બાબતે ખરડાયેલું રહ્યું છે. મોટાભાગની ટ્રેનો મોડી પડે તે સામાન્ય ઘટના રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે વિભાગે આ વિલંબતા ઓછી કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રેલવે પણ તેના સમય વિશે નિશ્ચિત છે. ટ્રેનોના મોડા પડવાના કલાકોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.