ભારતીય રેલ્વેએ 12 સપ્ટેમ્બરથી 80 સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. નવી સ્પેશ્યલ ટ્રેનને માટે બુકિંગ 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ કરાયું છે. આ દરેક 80 ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ્ડ રહેશે. તેમાં ફક્ત કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને મુસાફરી કરવાની પરમિશન મળશે. વેટિંગ ટિકિટના મુસાફરોને આ ટ્રેનમાં મુસાફરી કરવા મળશે નહીં.
ભારતીયે રેલ્વેએ શરૂ કર્યું બુકિંગ
80 ટ્રેન માટે શરૂ થયું બુકિંગ
યાત્રીઓએ ખાસ નિયમોનું પાલન કરવું રહેશે જરૂરી
આ સિવાય ટ્રેનમાં મુસાફરી કરવા રિઝર્વેશન પણ જરૂરી છે. તો તમે IRCTCની વેબસાઈટથી સરળરીતે બુકિંગ કરી શકો છો. આ સિવાય તમે રેલ્વેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને પણ ટ્રેનની ટિકિટનું બુકિંગ કરાવી શકો છો. યાદ રાખો કે મુસાફરી દરમિયાન તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું જરૂરી રહેશે.
જાણો કેવી રીતે બુક કરાશે સ્પેશ્યલ ટ્રેનનું બુકિંગ
કોરોના મહામારીની વચ્ચે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ બુક કરાવી શકાય છે. તેમાં કોરોનાનો ખતરો વધારે રહે છે. એવામાં તમે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન રેલ્વે માટેની બુકિંગ કરાવી શકો છો. તમે irctc.co.in પરથી ટિકિટ બુક કરાવી શકો છો.
આ માટે આ સરળ પ્રોસેસને ફોલો કરવાની રહેશે.
સૌ પહેલાં તો irctc.co.inની વેબસાઈટ પર જાઓ
અહીં તમારું એકાઉન્ટ બનાવો. એકાઉન્ટ બનાવ્યા બાદ ઉપરની સાઈડમાં ખૂણામાં રજિસ્ટર બટન પર ક્લિક કરો. ત્યારબાદ થોડી જાણકારી આપવાની રહેશે જેમ કે નામ, પાસવર્ડ, પસંદગીની ભાષા, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઈમેલ, સરનામું વગેરે. હવે સબ્મિટ બટન પર ક્લિક કરો. તમારું એકાઉન્ટ બનશે. હવે તમે હોમપેજ પર લોગિન બટન પર ક્લિક કરો. બુક યોર ટિકિટ પેજ પર જાઓ.અહીં તમે જ્યાની મુસાફરી કરવા ઈચ્છો છો તે જગ્યા, તારીખ અને ક્લાસ ભરીને બુકિંગ કરો.
હવે તે ક્લાસમાં સીટ છે કે નહીં તે ચેક કરો અને તમારી ટિકિટ બુક કરો. અહીં બુક નાઉ બટન પર ક્લિક કરો. અહીં યાત્રીનુ નામ આપવાનું રહેશે જેના માટે ટિકિટ બુક કરી રહ્યા છો.
હવે નીચે સ્ક્રોલ કરો અને મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાંથો અને સાથે બુકિંગ પર ક્લિક કરો
હવે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, યૂપીઆઈ કોડ પણ પસંદ કરો. પેમેન્ટ થયા બાદ તમે ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તમે તમારા ફોન નંબર પર એક એસએમએસ પણ મેળવશો.
યાત્રા કરવા માટે આ નિયમોનું પાલન કરવું છે જરૂરી
રેલ્વેની તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે તે અનુસાર ફક્ત કન્ફર્મ ટિકિટની મદદથી જ મુસાફરી કરી શકાશે.
યાત્રીઓને યાત્રાનો સમય પહેલાં 90 મિનિટ વહેલા સ્ટેશન પહોંચવાનું રહેશે જેથી થર્મલ સ્ક્રીનિંગની પ્રક્રિયા પૂરી કરી શકાય.
યાત્રીઓએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવાની રહેશે.
યાત્રા સમયે કંબલ. ચાદર, પડદા આપવામાં આવશે નહીં.
ટ્રેનમાં ચઢતી સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.