ભારતીય રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે સતત નવીનતા લાવી રહ્યું છે. હવે રેલવે દ્વારા સમુદ્રમાં એક એવા પૂલનું નિર્માણ શરૂ કરી દીધુ છે , જ્યારે જહાજના આવવા પર ઉપર ઉઠી જશે. ભારતનો આ પહેલો ચાલતો-ફરતો પૂર્વ વર્ટિકલ 'લિફ્ટ સ્પેન ટેકનોલૉજી' થી બનાવામાં આવશે. બે કિલોમીટર લાંબા આ પુલ પર 8 નવેમ્બર, 2019ના રોજ કામ શરૂ થયું હતું અને આવનારા બે વર્ષમાં પૂરુ થવાની આશા છે.
ભારતીય રેલેવ ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે લાવ્યું નવીનતા
સમુદ્રમાં ઉપર-નીચે ઉઠી શકે તેવા પૂલનું શરૂ કરાયું નિર્માણ
આ પુલ પંબન દ્વિપ પર સ્થિત તીર્થ રામેશ્વરમ્ ને મંડપમ સાથે જોડશે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ તરફથી આ પુલ પર કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે માર્ચમાં તામિલનાડૂથી કન્યાકૂમારીમાં આ પુલની આધારશીલા રાખી હતી.
ઝડપથી દોડી શકશે ટ્રેન
સૂત્રોને જણાવ્યા અનુસાર નવા પંબન પૂલના કારણે ટ્રેન ઝડપથી ચાલી શકશે તેમજ વધારે વજન પણ લઇ જઇ શકશે. પંબન અને રામેશ્વરમ્ ની વચ્ચે ટ્રાફિક પણ વધી શકશે. ઉલ્લેખનીય છે કે રામેશ્વરને પણ કાશીની જેમ ધાર્મિક માન્યતા છે.
1914માં બન્યો હતો જૂનો પૂલ
પંબન પૂલને 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ 1914માં અહીં એક પૂલ તૈયાર કરવામાં આવ્યો હતો, જે રામેશ્વરમને મંડપમથી જોડતો હતો. આ સમયમાં રામેશ્વરને ભારતના અન્ય ભાગથી જોડનારો એકમાત્ર પૂલ હતો, પરંતુ 1988માં સમાનાંતર જ એક રોડ બ્રિજ પણ તૈયાર થયો હતો.