ભારતીય રેલ્વેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે નવા વર્ષથી AC ક્લાસમાં ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટની સુવિધા આપવાનું નક્કી કર્યુ છે. રેલ્વેએ આ કિટની કિંમત 275 રૂપિયા રાખી છે.
ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
AC ક્લાસમાં મળશે ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટની સુવિધા
આ કિટની કિંમત હશે 275 રૂપિયા
કોરોના કાળમાં હવાઈ યાત્રા હોય કે રેલ્વેની મુસાફરી. દરેકમાં કોઈ ને કોઈ ફેરફાર કરાયા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ AC ક્લાસના યાત્રીઓને માટે બેડરોલ કિટની સુવિધા બંધ કરી હતી અને સાથે ફક્ત કન્ફર્મ ટિકિટ પર મુસાફરી કરવાની પરમિશન આપી હતી. તેના કારણે યાત્રીઓને મુશ્કેલી આવી રહી હતી. ટ્રેનમાં બેડરોલની સુવિધા બંધ થતાં યાત્રીઓને પોતે કંબલ લઈને જવું પડતું હતું. પરંતુ નવા વર્ષમાં રેલ્વેએ પોતાના યાત્રીઓને માટે એક નવી શરૂઆત કરી છે. તેનાથી રેલ્વેની મુસાફરી હવે સરળ અને આરામદાયક રહેશે.
ટ્રેનમાં મળશે ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ
રેલ્વેએ વધતી ઠંડી અને યાત્રીઓની જરૂરિયાતોને જોતાં ટ્રેનમાં ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ આપવાનો નિર્ણય કર્યો છે. યાત્રી નવા વર્ષથી યાત્રા સમયે આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ માટે યાત્રીઓને થોડા રૂપિયા ચૂકવવાના રહે છે.
આ ડિસ્પોઝેબલ ટ્રાવેલ કિટની કિંમત 275 રૂપિયા રાખવામાં આવી છે. રેલ્વેએ કહ્યું કે રેલ્વે બોર્ડની ગાઈડ લાઈન્સના આધારે ટ્રાવેલિંગ પેસેન્જર માટે એક ફૂલ બેડની વ્યવસ્થા કરાઈ છે. તેમાં એક કંબલ, 2 પીસ ડિસ્પોઝેબલ બેડશીટ, 1 પીલો, 1 હેડ કવર, 1 જોડી હેન્ડ ગ્લવ્ઝ, 1 માસ્ક, પેપર સોપ, હેન્ડ સેનેટાઈઝક અને પેપર નેપકિન આપવામાં આવશે. રેલ્વેએ આ રીતની કિટ તૈયાર કરી છે. તેઓ યાત્રીઓની સુરક્ષા અને સુવિધાને જરૂરિયાતોના આધારે ઘણી સસ્તી છે.
આ સ્ટેશનો પર મળશે સુવિધા
ડીડીયુ રેલ મંડળના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધકના જણાવ્યા અનુસાર આા સુવિધા નવા વર્ષે શરૂ કરાશે. તેમાં 4 મોટા સ્ટેશનો જેમકે દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ડેહરી આન સોન અને ગયાથી સુવિધા મળશે.