કોરોના વાયરસ (Coronavirus) ના કેસ દેશમાં સતત વધી રહી છે. તેને જોતા ભારતીય રેલવેએ સ્ટેશનો પર યાત્રાળુઓ માટે થર્મલ સ્ક્રીનિંગ (Thermal Screening) ની વ્યવસ્થા કરી છે. રેલ યાત્રી માત્ર 1 રૂપિયામાં તાવની તપાસ થર્મલ સ્ક્રીનિંગ દ્વારા કરાવી શકશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અને સેનેટાઇઝેશનની વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
1 રૂપિયામાં કરાવો થર્મલ સ્ક્રીનિંગ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રેલવેએ યાત્રાળુઓને મોટી સુવિધા આપી છે. યાત્રાળુ રેલવે સ્ટેશનો પર એક રૂપિયામાં તાવની થર્મલ સ્ક્રીનિંગ કરાવી શકે છે. એક રૂપિયા વાળુ ક્લિનિક મુંબઇના 19 રેલવે સ્ટેશનો પર કામ કરી રહ્યું છે. આ સર્વિસ મુંબઇના સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન લાઇન પર ઉપલબ્ધ છે. આ ક્લિનિકમાં યાત્રાળુ તાપમાનસ બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ, કંસલ્ટેશન, પ્રેસક્રિપ્શન અને કાઉન્સિલિંગની સુવિધા મળશે. જો કોઇ યાત્રાળુમાં વધારે તાપમાન જોવા મળે છે તો તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
કેવી રીતે કામ કરે છે થર્મલ સ્કેનર ?
થર્મલ સ્કેનર એવું ઉપકરણ અથવા સિસ્ટમ છે, જેના દ્વારા કોરોના વાયરસ અથવા કોઇ અન્ય રોગથી ગ્રસિત વ્યક્તિની ઓળખ કરવામાં આવી શકાય છે. થર્મલ સ્કેનર એક ઇન્ફ્રારેડ કેમેરાની જેમ કામ કરે છે. આ સ્કેનરથી પસાર થનારી વ્યક્તિના શરીરમાં હાજર વાયરસ ઇફ્રારેડ તસવીરોમાં દેખાય છે. વાયરસની સંખ્યા વધારે અથવા ખતરનાક સ્તર પર હોય ત્યારે વ્યક્તિના શરીરનું તાપમાન પણ વધી જાય છે. જેથી તેનાથી જાણવા મળે છે કે વ્યક્તિ કોઇ સંક્રમણથી ગ્રસિત છે અને સરળતાથી તેની ઓખળ થઇ જાય છે.
રેલવેએ જારી કરી ગાઇડલાઇન
રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવે અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ને કોરોના વાયરસની રોકથામ માટે એક ગાઇડલાઇન જારી કરી છે. જેને ઇન્ડિયન રેલવે નેટવર્કની તમામ ખાનપાન પ્રતિષ્ઠાનો પર લાગુ કરવામાં આવશે. રેલવે બોર્ડે કહ્યું છે કે ખાંસી, તાવ, નાક વહેવુ અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણોવાળા કોઇપણ કર્મચારીને ભોજન બનાવવા, પીરસવા અથવા વેચવા માટે તહેનાત કરવો જોઇએ નહીં. તમામ સુપરવાઇઝર્સને વ્યક્તિગત રીતે સ્વચ્છતા બનાવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ભોજન બનાવવા અને કેટરિંગ સર્વિસમાં તહેનાત તમામ કર્મચારીઓને નિયમિત રૂપે પોતાનો યૂનિફોર્મને ધોવા અને ડ્યૂટી પર સ્વચ્છ યૂનિફોર્મ પહેરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાવા પીવાની વસ્તુઓની પેકિંગ વ્યવસ્થા વધુ સારી બનાવવા કહેવામાં આવ્યું છે. જો બને તો ખુલ્લી વસ્તુઓના ઉપયોગથી બચવા માટે કહેવામાં આવ્યું છે. તમામ ખાવા પીવાની વસ્તુઓ સારી જગ્યાએ રાખવા માટે કહેવામાં આવ્યું છે.