ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવેએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા 31મી માર્ચ સુધી બધી જ ટ્રેનોને સસ્પેન્ડ કરી છે. ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય રેલવે બોર્ડ દ્વારા મોટો નિર્ણય
31મી માર્ચ સુધી બધી જ પેસેન્જર ટ્રેન રદ્દ
કોરોના વાયરસનાં ખતરાને જોતા લેવાયો નિર્ણય
ભારતીય રેલવેમાં હંમેશા ભારે ભીડ જોવા મળે છે. આ ભીડમાં જો કોરોના વાયરસ ફેલાય તો તે ખૂબ ઘાતક રૂપ લઇ શકે છે. આ ખતરાને જોતા પેસેન્જર ટ્રેનોને 31મી માર્ચ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. નોંધનીય છે કે રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવેની માલગાડીઓ તો ચાલુ જ રહેશે. કોરોના વાયરસનાં કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસને ફેલવવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા પણ યાત્રી ટ્રેનોને 31 તારીખ સુધી રદ્દ કરવામાં આવી છે.
કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓએ આજે બેઠક કરી હતી. બેઠકમાં કોરોના વાયરસનાં ફફડાટને જોતા ટ્રેનોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને મેલ, એક્સપ્રેસ અને રાજધાની ટ્રેનોની સેવા 31મી માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતીય રેલવે હંમેશા ખચાખચ ભરેલી હોય છે. જો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોમાં ચેપ ફાટી નીકળવાનાં ભયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ કોરોના વાયરસનાં કારણે અમુક શહેરોમાં લોકડાઉનના સમાચાર આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના વતન તરફ જવા ટ્રેનોમાં ભીડ કરી હતી.