જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ક્યારેય તમારો સામાન ચોરાઈ જાય છે, તો તમને તમારા સામાનનું વળતર મળી શકે છે. તો આવો જાણીએ કેવી રીતે ?
ટ્રેનમાં મુસાફરી દરિમાયન સામાન ચોરાઇ જાય તો મળી શકે છે વળતર
આ રીતે મળી શકે છે તમારો ચોરી થયેલો સામાન
જો યાત્રીનો સામાન 6 મહિનામાં ન મળે તો યાત્રી ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકે છે
Indian Railway Rules: જ્યારે પણ મુસાફરીની વાત આવે છે, ત્યારે લોકો તેમની પોત-પોતાના હિસાબે વાહનો પસંદ કરે છે. પરંતુ દરરોજ મોટી સંખ્યામાં લોકો ભારતીય ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળે છે. ટ્રેનમાં કંફર્ટ સીટ, એસી, કેટરિંગની વ્યવસ્થા અને ટોયલેટ વગેરે હોય છે. લોકો સરળતાથી ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. પરંતુ જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અને તે છે તમારો સામાન. હકીકતમાં એવા ઘણા કિસ્સા સામે આવતા રહે છે જેમાં મુસાફરી દરમિયાન લોકોનો સામાન ચોરાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ક્યારેય તમારો સામાન ચોરાઈ જાય છે, તો તમને તમારા સામાનનું વળતર મળી શકે છે. પણ પ્રશ્ન થશે કેવી રીતે? તો આવો સ્ટેપ મુજબ માહિતી મેળવીએ.
આ રીતે મળી શકે છે તમારો ચોરી થયેલો સામાનઃ
સ્ટેપ 1
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને તમારો સામાન ચોરાઈ જાય તો તમને વળતર મળી શકે છે
આ માટે તમારે સૌથી પહેલા રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફને ફરિયાદ કરવી પડશે.
પછી તમારા ચોરેલા સામાનની તમામ વિગતોની અહીં જાણકારી આપો
સ્ટેપ 2
ત્યાર બાદ તમારે એક ફોર્મ ભરવાનું રહેશે
આ ફોર્મમાં તમારે તમારા સામાનની અને તમારી જાણકારી આપવાની રહેશે.
સાથે જ આ ફોર્મમાં લખવામાં આવ્યું છે કે જો યાત્રીનો સામાન 6 મહિનામાં ન મળે તો યાત્રી ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકે છે.
સ્ટેપ 3
આ ફોર્મ ભર્યા પછી, તમને ભારતીય રેલ્વે તરફથી વળતર મળે છે.
રેલવે તમને તમારા સામાનની રકમ અનુસાર વળતર આપે છે
ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેને સુપ્રીમ કોર્ટ દ્વારા મુસાફરોના ખોવાયેલા સામાનની ભરપાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હેઠળ આવું થાય છે.