જો આપ પણ રેલ યાત્રા કરતા હોવ તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. જો આપ કોઈ ઈમરજન્સીના કારણે ટ્રેન ચાર્ટ તૈયાર થયા બાદ રેલ ટિકિટ કેન્સલ કરવી પડે તો, પણ આપ રિફંડ માટે ક્લેમ કરી શકો છે.
રેલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર
ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ પણ મળશે રિફંડ
ટિકિટ કેન્સલ કર્યા બાદ આ પ્રોસેસને ફોલો કરો
જો આપ પણ રેલ યાત્રા કરતા હોવ તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. જો આપ કોઈ ઈમરજન્સીના કારણે ટ્રેન ચાર્ટ તૈયાર થયા બાદ રેલ ટિકિટ કેન્સલ કરવી પડે તો, પણ આપ રિફંડ માટે ક્લેમ કરી શકો છે. આવી સ્થિતિમાં આપેન ટિકિટ કેંસિલેશનનું રિફંડ મળશે. ઈંડિયન રેલ્વેએ આ જાણકારી આપતા જણાવ્યું છે કે, કોઈ કારણ સર જો ચાર્ટ તૈયાર થયા બાદ ટ્રેન ટિકિટ કેન્સલ કરાવો છો, તો કેવી રીતે આપ રિફંડ માટે દાવો કરી શકો છે. આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા.
આઈઆરસીટીસીએ આપી મોટી જાણકારી
IRCTCએ પોતાના ટ્વિટર હેંડલ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવે મુસાફરી કર્યા વાગર અથવા તો આંશિક રીતે મુસાફરી કરેલ ટિકિટોને કેન્સલ કરવા પર રિફંડ આપે છે. તેના માટે આપને રેલ્વેના નિયમો અનુસાર ટિકિટ ડિપોઝીટ રસીદ જમા કરાવાની રહેશે.
આવી રીતે ફાઈલ કરો ઓનલાઈન TDR
તેના માટે સૌથી પહેલા આપ IRCTCની ઓફિશિયલ વેબસાઈટ www.irctc.co.in પર જાઓ.
હવે હોમ પેજ પર જઈને My Account પર ક્લિક કરો
હવે ડ્રોપ ડાઉન મેન્યૂમાં જઈને My transaction પર ક્લિક કરો.
અહીં આપ File TDR ઓપ્શનમાં કોઈ એક વિકલ્પની પસંદ કરી ફાઈલ ટીડીઆર કરો.
હવે આપને તે વ્યક્તિની જાણકારી દેખાશે. જેના નામ પર ટિકિટ બુક છે.
અહીં આપ આપનો PNR નંબર, ટ્રેન નંબર અને કેપ્ચા ભરો અને રદ્દ કરવાના નિયમોના બોક્સ પર ટિક કરો.
હવે આપ સબ્મિટ બટન પર ક્લિક કરો.
ત્યાર બાદ આપને બુકીંગના સમય ફોર્મમાં દેખાયેલા નંબર પર એક ઓટીપી આવશે.
અહીં ઓટોપી નાખ્યા બાદ સબ્મિટ પર ક્લિક કરો.
PNR વિવરણને વેરિફાઈ કર્યા બાદ રદ ટિકિટના વિકલ્પ પર ક્લિક કરો.
અહીં આપને પેજ પર ધનવાપસી અથવા રિફંડની રકમ દેખાશે.
બુકીંગ ફોર્મ પર આપેલા નંબર પર આપને એક કન્ફર્મેશન મેસેજ મળશે. જેમાં પીએનઆર અને રિફંડની વિસ્તૃત જાણકારી હશે.