ભારતીય રેલ્વેએ આપેલી માહિતી અનુસાર દરેક પ્રકારના કોચમાં હવેથી ચાર્જિંગ વીજ સપ્લાય રાત્રે બંધ કરી દેવામાં આવશે અને મુસાફરો રાત્રે તેમના ફોન અને લેપટોપ ચાર્જ કરી શકશે નહીં.
ભારતીય રેલવેએ કર્યો મોટો નિર્ણય
આગ લાગવાના બનાવોને નિયંત્રિત કરવા લીધો નિર્ણય
હવેથી રાત્રે 11 થી સવારના 5 સુધી ચાર્જિંગ ફેસિલિટી નહીં મળે
જો તમે હોળીની ઉજવણી કરીને ટ્રેન દ્વારા પરત ફરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે છે કારણ કે ભારતીય રેલ્વેએ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવેથી મુસાફરો રાતના સમયે ટ્રેનમાં મોબાઈલ ફોન અથવા લેપટોપ ચાર્જ કરી શકશે નહીં, સાથે જ સવારે 11 થી સવારે 5 સુધી, ચાર્જિંગ સપ્લાય બંધ રહેશે. રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં લાગેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
હાલમાં જ દિલ્હી-દેહરાદૂન શતાબ્દી ટ્રેનમાં લાગી હતી આગ
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. જોકે તેનાથી કોઈ પણ મુસાફરોને નુકસાન થયું ન હતું, પરંતુ તેના કારણે ભારતીય રેલ્વે અલર્ટ બની રહી છે જેના પછી સતત કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. હવે રેલ્વેએ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બિઝનેસ ટુડેના સમાચાર મુજબ, પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલ્વેએ સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઓવરહીટ થવાની ઘટનાઓના લીધે આગ લાગી શકે છે
ભૂતકાળમાં, ચાર્જિંગ દરમિયાન લાંબા અંતરની ટ્રેનોમાં લેપટોપ અને મોબાઈલ ફોન વધુ પડતા ગરમ થવાને કારણે આગની ઘટના પ્રકાશમાં આવી છે, તેથી રેલવેએ આ નિર્ણય લીધો છે. ઠાકુરે કહ્યું હતું કે ટૂંક સમયમાં તેનો અમલ તમામ રેલ્વે ઝોનમાં પણ કરવામાં આવશે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, એસી મિકેનિક સહિતના તમામ કર્મચારીઓને રાત્રે ચાર્જિંગ પોઇન્ટ બંધ થવાની જાણકારી આપવામાં આવી છે. આ સાથે અધિકારીઓએ પણ સુપરવિઝન કરવાનો નિર્ણય લીધો છે અને જો તેમાં કશું પણ ખામીયુક્ત હોવાનું જણાશે તો કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ધૂમપ્રાનને પણ નિયંત્રિત કરવાનો વિચાર કરી રહી છે રેલવે
આ સાથે, રેલવે પણ ટ્રેનમાં ધૂમ્રપાન કરનારા લોકો પર પણ નિયંત્રણ લાવવાનું વિચારી રહી છે. ભારતીય રેલ્વે આવા ગુનાઓની સજા વધારવાનો પ્રસ્તાવ મૂકવાની યોજના બનાવી રહી છે. હાલમાં, ટ્રેનમાં ધૂમ્રપાન કરનારા લોકોને રેલવે એક્ટની કલમ 167 હેઠળ વાહનોની અંદર ધૂમ્રપાન કરનારાઓ દ્વારા શિક્ષા આપવામાં આવે છે. ધૂમ્રપાન કરનારા મુસાફરોને 100 રૂપિયા સુધીનો દંડ કરવો પડે છે.