ભારતીય રેલવેએ યાત્રીઓને સારાં સમાચાર આપ્યા છે અને કન્ફર્મ ટિકિટને લઈને આ નિયમમાં ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ.
ભારતીય રેલવેના યાત્રીઓ માટે સારાં સમાચાર
રેલવેએ કન્ફર્મ ટિકિટને લઈને આ નિયમમાં ફેરફાર કર્યો
હવે તમારી કન્ફર્મ ટિકિટ પર કોઈ પણ ટ્રાવેલ કરી શકે છે
તમે તમારી કન્ફર્મ ટિકિટ તમારા પરિવારના અન્ય કોઈ પણ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકો છો. જેના માટે રેલવેએ કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે. આ નિયમમાં બદલાવ થયા પહેલાં જો કોઈ અન્ય વ્યક્તિ તમારી કન્ફર્મ ટિકિટ પર યાત્રા કરતા જોવા મળે તો તે ગુનો માનવામાં આવતો હતો. સરળ શબ્દોમાં કહીએ તો જો ટિકિટ બુક કર્યા પછી તમે કોઈ કારણસર મુસાફરી ન કરી શકો, તો તમારે કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવી પડતી હતી.
સ્ટેશન માસ્ટરને આપવી પડશે એપ્લીકેશન
રેલવે યાત્રીઓએ ઘણી વખત ટિકિટ કેન્સલ કરાવવા પર આર્થિક નુકસાન થતું હતું. રેલવેએ આ નિયમ બદલ્યો છે. ભારતીય રેલવેએ મુસાફરોને કન્ફર્મ ટિકિટ પર એક ખાસ સુવિધા આપી છે. આ અંતર્ગત જે લોકો કન્ફર્મ ટિકિટ પર મુસાફરી કરવા નથી માંગતા તેઓ તેમના પરિવારમાં કોઈના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે. ટિકિટ ટ્રાન્સફર કરવા માટે તમારે સ્ટેશન માસ્ટરને અરજી આપવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ તમે તમારી કન્ફર્મ ટિકિટ તમારા પરિવારમાં કોઈપણને વ્યક્તિનેટ્રાન્સફર કરી શકો છો.
જાણો કોને ટ્રાન્સફર કરી શકાય ટિકિટ
રેલ યાત્રીઓ તેમની કન્ફર્મ ટિકિટ માત્ર તેમના માતા -પિતા, ભાઈ -બહેન, દિકરા-દીકરીઓ, પતિ -પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. બદલાયેલા નિયમ મુજબ, તમે તમારી કન્ફર્મ ટિકિટ મિત્રના નામે ટ્રાન્સફર કરી શકતા નથી. જ્યારે લગ્નમાં કે પાર્ટીમાં જતા લોકો સામે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે લગ્ન અને પાર્ટીના આયોજકોએ 48 કલાક અગાઉથી જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. રેલવે સ્ટેશનની વ્યક્તિગત મુલાકાત લઈને ટિકિટ ટ્રાન્સફર પ્રોસેસ પૂરી કરવાની સાથે તમે આ પ્રક્રિયા ઓનલાઇન પણ કરી શકો છો.