દેશ-દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે અનેક બાબતોમાં ફેરફાર થઈ રહ્યો છે. આવો જ ફેરફાર ભારતીય રેલવેમાં થયવાની શક્યતા છે. અત્યારે કોરોનાને લીધે રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના બાદ હવે રેલવે રેગ્યુલર ચાલુ થશે ત્યારે એરકન્ડિશન કોચમાં પ્રવાસીઓને કમ્બલ, ઓસિકા, ચાદર અને નેપકિન આપવાનું હંમેશા માટે બંધ કરવામાં આવશે.
કમ્બલ, ઓસિકા, ચાદર અને નેપકિન આપવાનું હંમેશા માટે બંધ કરાશે
જો કે હજું સત્તાવાર રીતે નિર્ણય લેવાનો બાકી છે
મેગા લોન્ડ્રી સાથે શું કરવાનું છે તે નક્કી કરવા માટે એક સમિતી બનાવાશે
જો કે હજું સત્તાવાર રીતે નિર્ણય લેવાનો બાકી છે. આ અઠવાડીએ રેલવેના શીર્ષ ઓફિસરોની વચ્ચે થયેલી હાઈ લેવલની મીટિંગમાં આ બાબતની ચર્ચા થઈ છે. બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓએ એક અખબારને જણાવ્યું કે આ દિશામાં રેલવે આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર દેશમાં બિલ્ડ ઓપરેટ ઓન ટ્રાન્સફર મોર્ડલ હેઠળ લિનેનને ધોવા માટે મેકનાઈજ્ડ મેગા લોન્ડ્રી સાથે શું કરવાનું છે તે નક્કી કરવા માટે એક સમિતી બનાવવામાં આવી રહી છે.
દરેક લિનેન સેટને ધોવા માટે 40-50 રુપિયાનો ખર્ચ થાય છે. અંદાજ મુજબ હાલમાં 18 લાખ લિનન સેટ ફિલ્ડમાં છે. 1 કમ્બલ 48 મહિના સુધી વાપરવામાં આવે છે. અને મહિનામાં 1વાર ધોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નવા લેનન આઈટમ હાલ ખરીદવામાં આવી રહ્યા નથી.
છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 20 રેલવે ડિવિધન ખાનગી વેન્ડરોને સસ્તા ભાવે સ્ટેશન પર ડિસ્પોજેબલ કંબલ, ટુવાલ અને ચાદરો વેચવાનો કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. સમગ્ર ભારતમાં આવા લગભગ 50 વેન્ડરોએ રેલવે સ્ટેશનોમાં દુકાન ખોલી છે.
એક અધિકારીએ કહ્યું કે એસી કોચમાં આધુનિક તાપમાન નિયંત્રણ સેટિંગ્સ સાથે કમ્બલની જરુરિયાતોને સમાપ્ત કરી શકાય છે. રેલ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કોરોનાને કારણે અમે કમ્બલ નથી આપી રહ્યા. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે તમામ નિર્ણયોની સમીક્ષા કરાશે. હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.