રેલવેને ભારતની લાઈફલાઈન કહેવામાં આવે છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં પ્રવાસ કરે છે. ભારતીય રેલવેએ દરેક વસ્તુ માટે નિયમ નક્કી કર્યા છે. એક નિયમ ટ્રેનમાં લઈ જવાતા સામાન માટે પણ છે. જોકે, મોટાભાગના લોકોને આ નિયમની માહિતી નથી.
તમે રેલવેમાં મુસાફરી કરો છો?
ટ્રેનમાં મુસાફરી વખતે એક યાત્રી કેટલો સામાન લઇ જઇ શકે છે?
દરેક મુસાફર આ માહિતીથી વાંકેફ હોવો જોઈએ
તમે આટલો સામાન લઇ જઇ શકો છો
શું તમે આ નિયમથી વાંકેફ છો? જો તમારી પાસે જાણકારી નથી તો માહિતી લેવી જોઈએ. કારણકે આ ખૂબ કામનો નિયમ છે અને રેલવેમાં પ્રવાસ કરનારા દરેક મુસાફરને આ અંગે માહિતી હોવી જોઈએ. રેલવેમાં મુસાફરી દરમ્યાન એક મુસાફર પોતાની સાથે મહત્તમ 50 કિલોગ્રામ સુધીનો સામાન લઇ જઇ શકે છે. જો તેનાથી વધુ સામાન લઇ જવો હોય તો તે મુસાફરે તે સામાનનું ભાડૂ ચૂકવવુ પડે છે. જેના માટે મુસાફરે સામાનની પણ ટીકિટ લેવી પડે છે. જોકે, AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફર પોતાની સાથે 70 કિલોગ્રામ સુધીનો સામાન કોઈ વધારાના ચાર્જ વગર લઇ જઇ શકે છે. જો તમે સ્લીપરમાં પ્રવાસ કરી રહ્યાં છો તો તમે તમારી સાથે 40 કિલોગ્રામ સુધીનો સામાન લઇ જઇ શકો છો.
દર્દીઓ માટે અલગ નિયમ
રેલવેમાં યાત્રા દરમ્યાન મોટા આકારનો સામાન લઇને ચાલનારા લોકોને પણ ફી ચૂકવવી પડે છે. જેના માટે ઓછામાં ઓછા 30 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. નક્કી કરેલી સીમાથી વધુ સામાન હોવાથી તમારે દોઢ ગણો વધુ ચાર્જ ચૂકવવો પડે છે. ઘણી વખત લોકો દર્દીઓની સાથે રેલવે યાત્રા કરે છે. એવામાં તેમના જરૂરિયાતના સામાનને લઇને રેલવેના અલગ નિયમ છે, જે હેઠળ ડૉકટરની સલાહ પર દર્દી પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર અને સ્ટેન્ડ લઇ જઇ શકે છે.
ટ્રેનમાં શું ના લઈ જઈ શકો?
રેલવે બોર્ડ દ્વારા તમને રેલવે યાત્રા દરમ્યાન કોઈ પણ પ્રકારનો વિસ્ફોટક સામાન અથવા જ્વલનશીલ પદાર્થ લઇ જવાની મંજૂરી નથી. આ સાથે ફી ભર્યા પછી પણ તમે મહત્તમ 100 કિલોગ્રામ સુધીનો સામાન પોતાની સાથે લઇ જઇ શકો છો.