ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. રેલવેએ કવચ ટેકનિકનું સફળ પરીક્ષણ કર્યું. બે ટ્રેનોને આમને સામને ચલાવામાં આવી હતી. જેમાં એક ટ્રેનમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ હતા
ભારતીય રેલ માટે મહત્વનો દિવસ
કવન સિસ્ટમનું પરીક્ષણ સફળ રહ્યું
બે ટ્રેનોને અથડાતી રોકી શકાશે
ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. રેલવેએ કવચ ટેકનિકનું સફળ પરીક્ષણ કર્યું. બે ટ્રેનોને આમને સામને ચલાવામાં આવી હતી. જેમાં એક ટ્રેનમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ હતા, તો બીજી બાજૂ રેલવે બોર્ડના ચેરમેન સહિત અન્ય અધિકારીઓ હતા. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પરીક્ષણના કેટલાય વીડિયો ટ્વિટર પર શેર કર્યા છે.
રેલ્વેને ઝીરો એક્સીડેંટના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સ્વદેશી રીતે વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા સિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે. કવચને એક ટ્રેનને સ્વચાલિત રીતે રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, જ્યારે ડિજિટલ સિસ્ટમને રેડ સિગ્નલ અથવા તો કોઈ અન્ય ખરાબી જેવી કોઈ મેન્યૂઅલ ભૂલ દેખાય તો, ટ્રેન પણ પોતાની જાતે જ રોકાઈ જાય છે, તેમણે કહ્યું કે, એક વાર લાગૂ થયા બાદ તેને ચલણમાં 50 લાખ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવશે, જ્યારે દુનિયાભરમાં આવી ટેકનિક માટે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
As the gate approaches, Kavach automatically initiates whistling without any intervention from the driver.
Auto whistle test is done successfully. 👏👏#BharatKaKavachpic.twitter.com/02WrSJ1MYl
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સનતનગર-શંકરપલ્લી ખંડ પર સિસ્ટમના પરીક્ષણનો ભાગ બનવા માટે સિકંદરાબાદમાં હતાં. રેલ્વે સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલ મંત્રી અને સીઆરબી 4 માર્ચે થનારા પરીક્ષણમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, સિસ્ટમ ત્રણ સ્થિતિમાં કેવી રીતે કામ કરે છે. તે જોવા માગતા હતા.
આ ટેકનિકમાં જ્યારે આવા સિગ્નલથી ટ્રેન પસાર થાય છે, જ્યાંથી પસાર થવાની મંજૂરી નથી હોતી, તો તેના માટે સિગ્નલવાળો ખતરો મોકલવામાં આવે છે. લોકો પાયલટ જો ટ્રેનને રોકવામાં નિષ્ફળ જાય તો, ફરીથી કવચ ટેકનિક દ્વારા પોતાની જાતે જ ટ્રેનને બ્રેક લગાવે છે અને કોઈ પણ એક્સિડેંટથી ટ્રેનને બચાવે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ટેકનિક હાઈ ફ્રીક્વેંન્સી રેડિયો કમ્યુનિકેશન પર કામ કરે છે. સાથે જ તે SIL-4ની પણ પુષ્ટિ કરે છે, જે સેફ્ટી સર્ટિફિકેશનનું સૌથી મોટુ સ્તર છે.
કેન્દ્રીય બજેટમાં થઈ છે જાહેરાત
આપને જણાવી દઈએ કે, 2022ના કેન્દ્રીય બજેટમાં પણ કવચ ટેકનિકને લઈને જાહેરાત કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત બે હજાર કિલોમીટરના રેલ્વે નેટવર્કને કવચ ટેકનિકથી અંદર લાવવામાં આવી છે. અત્યાર સુધી દક્ષિણ મધ્ય રેલ્વેના ચાલી રહેલા પ્રોજેક્ટમાં કવચને 1098 કિમીથી વધારે માર્ગ અને 65 એન્જીન પર લાગૂ થઈ ચુક્યું છે. આ ઉપરાંત કવચને દિલ્હી-મુંબઈ અને દિલ્હી હાવડા કોરિડોર પર લાગૂ કરવાની યોજના છે. જેનો કુલ રૂટ લગભગ 3000 કિમી છે.