રલેવે હવે શતાબ્દી, જન શતાબ્દી અને ઇન્ટરસિટીને વન્દે ભારત સાથે રિપ્લેસ કરશે. જાણો આ વિશે વિગતવાર
ઇન્ટરસિટી, શતાબ્દી અને જન શતાબ્દીને રિપ્લેસ કરવાની તૈયારીમાં રેલવે મંત્રાલય
વન્દે ભારત સાથે થશે આ ત્રણ ટ્રેન રિપ્લેસ
હાલમાં 27 રુટ પસંદ કરવામાં આવ્યા છે
રેલ યાત્રીઓ માટે ખુશખબર છે. યાત્રીઓનાં આરામ માટે ભારતીય રેલવે હંમેશા નવી નવી સુવિધાઓ પેશ કરતું રહે છે. ભારતમાં લગભગ લાખો લોકો દરરોજ રેલ યાત્રા કરે છે, એટલા માટે રેલવેને ભારતની કરોડ રજ્જુ કહે છે. ગયા અમુક દિવસોથી રેલવે સતત ફેરફારો કરી રહ્યું છે. બીજી બાજુ વન્દે ભારત જેવી ટ્રેનો પર પણ સતત કામ થઈ રહ્યું છે. આ સાથે જ રેલવેએ ફરી નાવા ફેરફારો તરફ ઈશારો કર્યો છે.
આ ટ્રેન કરવામાં આવશે રિપ્લેસ
એકવાર ફરી રેલવેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા અમુક મોટા ફેરફારોની તૈયારી કરી છે. રેલવે હવે શતાબ્દી, જન શતાબ્દી અને ઇન્ટરસિટી ટ્રેનોમાં ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે આ ત્રણ ટ્રેનોને વન્દે ભારત એક્સપ્રેસથી રિપ્લેસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
2023 સુધીમાં શરૂ થશે 75 નવી વન્દે ભારત
જણાવી દઈએ કે શતાબ્દી, જન શતાબ્દી અને ઇન્ટરસિટી વગેરે ટ્રેનોનાં યાત્રીઓની હવે બલ્લે બલ્લે થવાની છે. આ ત્રણ ટ્રેનોથી યાત્રા કરનારને હવે આ ટ્રેનોની જગ્યાએ સેમી હાઇ સ્પીડ ટ્રેન વન્દે ભારતમાં યાત્રા કરવાની તક મળશે. ગયા દિવસો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશભારમાં આવતા વર્ષ સુધીમાં 75 નવી વન્દે ભારત ટ્રેન શરૂ થવાની તૈયારીમાં છે.
હાલમાં 27 રુટ પસંદ કરવામાં આવ્યા છે
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એમ પણ જણાવ્યું કે રેલવે આવનાર સમયમાં શતાબ્દી, જએન શતાબ્દી અને ઇન્ટરસિટી ટ્રેનહી વનડે ભારત ટ્રેનોને રિપ્લેસ કરવાની તૈયારીમાં છે. અત્યારે આ માટે 27 રુટ પસંદ કરવામાં આવસ્યાં છે. આવનાર સમયમાં વધારે રુટ ફાઇનલ કરવામાં આવશે.
શતાબ્દીની જગ્યાએ ચાલશે વન્દે ભારત
રેલમંત્રી પહેલાઆ જણાવ્યું હતું કે પ્રથમ ચરણમાં દિલ્હી-લખનૌ, દિલ્હી-અમૃતસર અને પૂરી હાવડા સહિત 27 રેલવ રુટ પર વન્દે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, દિલ્હી-ભોપાલ અને દિલ્હી-ચંડીગઢ રેલવે લાઇન પર સંચાલિત થનાર શતાબ્દી ટ્રેનોને પણ બદલવામાં આવશે. ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેકટ્રીમાં વન્દે ભારત ટ્રેનોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને તેની ટ્રાયલ પણ થઈ રહી છે. આ સાથે જ 75 ટ્રેનોને 23 ઓગસ્ટ સુધીમાં તૈયાર કરવાની આશા છે.
નવી વન્દે ભારત ટ્રેન છે એડવાન્સ
જણાવી દઈએ કે નવી વન્દે ભારત ટ્રેન પહેલાઆની વન્દે ભારત કરતાં ઘણા મામલાઓમાં ઘણી આગળ છે. ભારતીય રેલવેએ આ ટ્રેનમાં ઘણા પ્રકારના એક્સપરિમેન્ટ પણ કર્યા છે. આ પહેલી સ્વદેશી સેમી હાઇ સ્પીડ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇન-હાઉસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત, રેલમંત્રીએ 2026માં ગુજરાતનાં સૂરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનાર પહેલી બુલેટ ટ્રેન વિશે પણ વિસ્તૃત જાણકારી આપી. ત્યાર બાદ તેમને બુલેટ ટ્રેનનાં ભાડાને લઈને પણ જાણકારી આપી હતી. સમય સમય પર રેલવે પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપતું રહે છે.