કોરોનાને જોતા ભારતીય રેલવેએ IRCTCની વેબસાઈટમાં ફેરફાર કર્યા છે. ઓગસ્ટથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી IRCTCની ટિકિટ બુકિંગ કરવા વેબસાઈટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવ ઓનલાઈન કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે મુસાફરોને વધારે સારી સુવિધા મળશે. મુસાફરોને ટ્રેન અંગેની માહિતી મળશે.
કોરોનાને કારણે 230 ટ્રેનો ચાલી રહી છે તેટલી જ દોડશે
હાલમાં 85 ટકા ટ્રેન ટિકિટ ઓનલાઈન બુક થઈ છે
ક્યૂઆર કોર્ડ સાથે મેન ટચ ફ્રી ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે
યાદવે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને કારણે 230 ટ્રેનો ચાલી રહી છે તેટલી જ દોડશે. નવી ટ્રેનો નહીં દોડે. મોટાભાગની ટિકિટ કન્ફોર્મ હોય છે 58 ટ્રેનમાં વેટિંગ ટિકિટનો સવાલ છે. જેમાં પણ 3-4 દિવસમાં તેની ટિકીટ પણ કન્ફોર્મ મળી રહી છે. રેલવે ચોક્કસ રુટ પર વધારે દોડસે અને જ્યારે વધારે વેટિંગ લિસ્ટ 10-15 દિવસમાટે જોવા મળશે.
રેલવેએ થોડાક સમયમાં ડિજિટલ શરુઆત કરી છે. જેમાં ક્યૂઆર આધારિત ટિકિટ, ઈ-ફાઇલિંગ સિસ્ટમ વગેરે. ભારતીય રેલવે ક્યૂઆર કોડ સાથે કોન્ટેક્ટ ફ્રી ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે. જેને સ્ટેશનો અને ટ્રેનોમાં મોબાઇલ ફોન દ્વારા સ્કેન કરી શકાય છે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે જણાવ્યું હતું કે, હાલમાં 85 ટકા ટ્રેન ટિકિટ ઓનલાઈન બુક થઈ છે. તેમજ જે લોકો ફિઝિકલી સ્ટેશન પરથી ટિકિટ ખરીદે છે તેમાં પણ ક્યૂઆર કોર્ડ હોય છે. જેથી તેને સ્કેન કરી શકાશે.
હવે રેલવે એરપોટની જેમ રેલવેમાં ક્યૂઆર કોર્ડ સાથે મેન ટચ ફ્રી ટિકિટ આપવાની યોજના બનાવી રહી છે. જેમાં ક્યૂઆર કોડની યુઆરએલ એસએમએસ દ્વારા મુસાફરના મોબાઈલમાં મોકલવામાં આવશે. જેનાથી તે મુસાફરી કરી શકશે. જે કોડ મોબાઈલથી ટીટીઈ સ્કેન કરશે. ક્યૂઆર કોડ સ્કેનરને ફ્રી એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા આઈઓએસ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.તેને સ્કેન કરતાની સાથે પીએનઆરની તમામ ડિટેઈલ ટીટીઈના ફોનમાં આવી જાય છે.