દિવ્ય કાશી યાત્રાના દર્શનાર્થિઓને આખી કાશી ફરવાનો લાભ મળશે. આ યાત્રા 4 દિવસ અને 5 રાતની હશે. આ યાત્રા 22 માર્ચ 2022એ રાજધાની દિલ્હીથી શરૂ થઈને 29 માર્ચ 2022એ દિલ્હીમાં જ પુરી થશે.
ભારતીય રેલવે લાવ્યું ખાસ ઓફર
કરો ધાર્મિક સ્થળોના દર્શન
જાણો શું છે 'દિવ્ય કાશી યાત્રા'
ભારતીય રેલ અને આઈઆરસીટીસી ગ્રાહકો માટે સમય સમય પર ગણા પ્રકારના પેકેજ લઈને આવે છે. જો તમે પણ કાસી ધાર્મિક સ્થાન પર આવતા અમુક દિવસોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTCના 'દિવ્ય કાશી યાત્રા'નો ખાસ લાભ ઉઠાવી શકો છો. આ પેકેજ દ્વારા તમે દિલ્હીના વારાણસીની યાત્રા કરી શકો છો. આ પેકેજમાં તમને વારાણસીના પ્રમુખ ધાર્મિક સ્થલો પર ફરવાનો મોકો મળી શકે છે. તો આવો તેને વિશે જાણીએ...
'દિવ્ય કાશી યાત્રા' ક્યારે શરૂ થશે?
તમને જણાવી દઈએ કે 'દિવ્ય કાશી યાત્રા'ના દર્શનાર્થિઓને આખી કાશી ફરવાનો લાભ મળશે. આ યાત્રા કુલ 4 દિવસ અને 5 રાતોની હશે, આ યાત્રા 22 માર્ચ 2022એ રાજધાની દિલ્હીથી શરૂ થઈને 29 માર્ચ 2022એ દિલ્હીમાં જ પુરૂ થશે. આ આખી યાત્રામાં દર્શનાર્થીઓને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. તેની સાથે જ તેમણે પુરી કાશી ફરવાનો મોકો મળશે. આ યાત્રા દિલ્હીના સફદરગંજ રેવલે સ્ટેશનથી સાંજે 4 વાગ્યે શરૂ થશે.
'દિવ્ય કાશી યાત્રા' પેકેજમાં મળતી આ જગ્યાઓ પર ફરવાનો લાભ
ઈન્ડિયન રેલવે અને IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા પેકેજ 'દિવ્ય કાશી યાત્રા' હેઠળ યાત્રીઓને કાશીના ઘણા ફેમસ અને ધાર્મિક જગ્યાઓ પર ફરવાનો મોકો મળશે. તેમાં તુલસી માનસ મંદિર, દુર્ગા મંદિર, ભારત માતા મંદિર, પંચકોશી મંદિરના પાંચ પ્રસિદ્ધ મંદિર જેવા કર્દમેશ્વર, ભીમચંડી, રામેશ્વર, શિવપુર અને કપિલેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને ગલિયારા, સારનાથ સ્મારક, કાળ ભૈરવ મંદિર, ગંગા આરતી, વારાણસીના ઘાટ વગેરે જેવા ઘણા દિવ્ય સાથેનો પર ફરવાનો મોતો મળશે.
આ સમગ્ર પેસેજમાં મુસાફરોને અનેક લાભો મળશે. જેમાં મુસાફરોને વારાણસીના રેલ્વે સ્ટેશનથી હોટલ અને હોટેલથી અલગ-અલગ મંદિર સુધી બસની સુવિધા મળશે.
આ સાથે મુસાફરોને ટૂર ગાઈડની સુવિધા પણ મળશે.
આ ઉપરાંત સવારે નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ ખોરાક સંપૂર્ણપણે શુદ્ધ અને શાકાહારી હશે.
આ સાથે જ તમને ટ્રેનના સેકન્ડ અને ફર્સ્ટ એસીથી જવા-આવવાની સુવિધા પણ મળશે.
તમને એસી હોટલની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
આટલા રૂપિયા ખર્ચવા પડશે
જો તમે એકલા 'દિવ્ય કાશી યાત્રા' પેકેજ ટૂર પસંદ કરો છો, તો તમારે ફર્સ્ટ એસી પર 34,510 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ સેકન્ડ AC માટે 29,080 રૂપિયા ચૂકવવા પડશે. જો બે લોકો સેકન્ડ એસીમાં મુસાફરી કરે છે, તો 24,500 રૂપિયા અને ફર્સ્ટ એસીમાં 29,950 રૂપિયા ચૂકવવા પડશે.