આ રેલ્વે ટ્રેક મહારાષ્ટ્રના અમરાવતીમાં છે, આ રુટ પર ચાલવાવાળી શકુંતલા એક્સપ્રેસના કારણે તેને 'શકુંતલા રેલ રુટ' કેહવામાં આવે છે.
દેશના આ રેલ્વે ટ્રેક પર આજે પણ છે અંગ્રેજોની હકૂમત
આ રેલ્વે ટ્રેક મહારાષ્ટ્રના અમરાવતીમાં આવેલો છે
બ્રિટિશ કંપનીએ આ રેલ્વે ટ્રેકને બનાવ્યો
રેલ ટ્રેકનું કામ 1916માં પૂર્ણ થયું હતું
વર્ષ 1903માં બ્રિટિશ કંપની ક્લિક નિક્સનની તરફથી આ ટ્રેકને બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલ ટ્રેકનું કામ 1916માં પૂર્ણ થયું હતું. આ કંપનીને આજે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીના નામથી ઓળખવામાં આવે છે. અમરાવતી વિસ્તાર કપાસ માટે આખા દેશમાં પ્રખ્યાત હતો. કપાસને મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ તેનુ નિર્માણ કરાવ્યું હતું. તે સમયે પ્રાઇવેટ ફર્મ જ રેલ નેટવર્કને ફેલાવવાનું કામ કરતી હતી.
આ ટ્રેક પર બ્રિટનની કંપનીનો કબજો યથાવત
આજે પણ આ ટ્રેક પર બ્રિટનની આ કંપનીનો કબજો છે, જેની દેખરેખની સંપૂર્ણ જવાબદારી તેના પર જ છે. દરેક વર્ષે પૈસા આપ્યા હોવા છતાં પણ આ ટ્રેક ખૂબ જર્જરીત છે. રેલ્વે સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા 60 વર્ષમાં તેનુ સમારકામ પણ નથી થયું. જેના પર ચાલનારા જેડીમ સિરીજના ડીઝલ લોકો એન્જિનની મહત્તમ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવે છે.