ભારતીય રેલવે સામાન્ય વ્યક્તિ માટે રેલવેથી સફર કરવા સરળ બનાવવા લાગી છે. એ માટે રેલવે સતત નવી સુવિધાઓ લાવી રહી છે. રેલવેની એવી જ એક સુવિધા છે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરની.
રેલથી સફર દરમિયાન તમને કોચમાં ઘણી પરેશાની થાય છે. અથવા તમને રેલ તરફથી મળતા ખાવામાં ગડબડ જોવા મળે છે. અથવા એ ઉપરાંત અન્ય કોઇ પણ પરેશાની તમને થાય છે તો તમે એની ફરીયાદ કરી શકો છો.
એના માટે તમારે માત્ર ટોલ ફ્રી નંબર 1800-110-139 પર કોલ કરવાનો છે. આઇઆરસીટીસીએ એક ટ્વિટ કરીને જાણકારી આપી છે. આ ટ્વિટમાં રેલવે એ જણાવ્યું કે સફર દરમિયાન જો તમન કોઇ પણ પરેશાનીનો સામનો કરવો પડે છે તો તમે ગમે ત્યારે આ નંબર પર કોલ કરી શકો છો
सफर से पहले या फिर सफर के दौरान आपकी किसी भी तरह की परेशानी के हल हेतु #आईआरसीटीसी द्वारा एक काबिल टीम तैयार की गई है जो कि 24 घण्टे आपकी सेवा के लिए बैठी हैं। टिकट संबंधी किसी भी तरह की परेशानी होने पर इस नंबर पर कॉल करें- 1800 110 139 #irctcair#flights#irctc#airticketspic.twitter.com/FOGGKhFIcY
રેલવે પ્રમાણે આ નંબર 24*7 કામ કરે છે. રેલવેનું માનીએ તો માત્ર સફર દરમિયાન નહીં પરંતુ એના પહેલા પણ જો કોઇ સમસ્યા રેલથી સફર કરવાને લઇને તમારી સામે આવે છે. તો તમે આ નંબર પર ફોન કરીને તમારી પરેશાનીથી છુટકારો મેળવી શકો છો.