હોળી પહેલા સરકારે રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે. કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી જનરલ ટિકિટ બુકિંગની સુવિધા ફરી શરૂ કરવામાં આવી રહી છે. ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે 11 માર્ચથી દેશની ઘણી ટ્રેનોમાં લોકો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે.
જનરલ ટિકિટ બુકિંગ શરૃ
કોરોના સમયગાળા દરમિયાન ચેપને રોકવા માટે, રેલ્વેએ જનરલ કોચને પણ આરક્ષિત શ્રેણીમાં ફેરવી દીધા હતા. જો કે હવે સ્થિતિ ફરી સામાન્ય થતાં જનરલ કોચ શરૂ કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેએ તેના હેઠળ ચાલતી મોટાભાગની ટ્રેનોમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરવાની મંજૂરી આપી છે. હવે જબલપુર, ભોપાલથી હાવડા જતી ટ્રેનોમાં પણ જનરલ ટિકિટ મળશે. રાજસ્થાન, દિલ્હીથી મુસાફરી કરનારાઓ માટે જનરલ ટિકિટની સિસ્ટમ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે જનરલ ટિકિટ પરની સફરને સંપૂર્ણ રીતે પાટા પર આવવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગશે. કોરોના સમયગાળા દરમિયાન આ બોગીઓને રિઝર્વ બોગીમાં પરિવર્તિત કરવામાં આવી હતી. જે દરમિયાન મુસાફરોનું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે. જ્યાં સુધી વેઇટિંગ પૂર્ણ નહી થાય ત્યાં સુધી તમામ જનરલ કોચમાં મુસાફરી સામાન્ય નહીં થાય.
રેલવેએ ડઝનબંધ ટ્રેનો રદ કરી છે
વિવિધ કારણોસર, રેલ્વે દ્વારા આજે કુલ 282 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 9 ટ્રેનોનું સમયપત્રક ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે દ્વારા 12 ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે આ ટ્રેનો હવે તેમના જૂના નિર્ધારિત રૂટ પર મુસાફરી કરશે નહીં. જો તમે પણ આ ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો માહિતી લીધા પછી જ સ્ટેશન પર જાઓ.
આ રીતે રદ કરાયેલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી તપાસો
સૌથી પહેલા enquiry.indianrail.gov.in/mntes/ ની વેબસાઈટ પર જાઓ.
અહીં તમે એક્સેપ્શનલ ટ્રેનનો વિકલ્પ જોશો.
તેને પસંદ કરો અને કેન્સલ, રી-શેડ્યૂલ અને ડાયવર્ટ ટ્રેનોની યાદી પર ક્લિક કરો.
તમારી ટ્રેનના નંબર અને નામ બંને દ્વારા, તમે તે ટ્રેનોની સૂચિ જોઈ શકશો જેણે રૂટ કેન્સલ કર્યો છે અથવા બદલ્યો છે.