ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં 72,000 પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જોનલ રેલ્વેના 81,000 પદ હજૂ પણ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
ભારતીય રેલ્વેએ છ વર્ષમાં આટલા પદ ખતમ કરી દીધા
ભવિષ્યમાં ક્યારેય નહીં થાય આ પદ પર ભરતી
હજૂ પણ અન્ય પદો ખતમ થઈ જશે
ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં 72,000 પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જોનલ રેલ્વેના 81,000 પદ હજૂ પણ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. એટલે કે, રેલ્વેમાં લગભગ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય. સરકારના જણાવ્યા અનુસાર, ખતમ કરવામાં આવેલા પદો બિનજરૂરી હતા અને આધુનિકીકરમના કારણે ગ્રુપ સી અને ડીવાળા પદની હવે કોઈ જરૂર નથી.
હાલમાં આ પદ પર રહેલા લોકોને અન્ય વિભાગમાં સમાવેશ કરી લીધો
હાલના સમયમાં આ પદ પર કામ કરી રહેલા લોકો રેલ્વેના અલગ અલગ વિભાગમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પદ હટાવવા પડ્યા કારણ કે, આધુનિકીકરણ અને ડિજીટલ વ્યવસ્થાને કારણે આ પદની જરૂર રહેતી નથી. રેલ્વે બોર્ડના દસ્તાવેજ મુજબ નાણાકીય વર્ષે 2015-16થી 2020-21ની વચ્ચે રેલ્વેમાં તમામ 16 ઝોનમાં 56,888 પદને સમાપ્ત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે બોર્ડે આ સમયગાળમાં 15,495 પદને ખતમ કરવાની મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલ્વે બોર્ડે સંબંધિત સમયગાળા દરમિયાન 81,303 પદ ખતમ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. ઝોનલ રેલ્વે નાણાકીય વર્ષ 2021-22 માટે કર્મચારી-અધિકારીઓના કામ અધ્યયનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યાર બાદ રેલ્વે બોર્ડની મંજૂરી મળતા બીજા પદ પણ સમાપ્ત કરી દેવામાં આવશે. એક અનુમાન મુજબ આ સંખ્યા નવથી દશ હજાર સુધી પણ હોઈ શકે છે.
આઉટસોર્સિંગના કારણે પદની સંખ્યા ઘટી
રેલ્વે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પદને સમાપ્ત કરવાની પ્રક્રિયા અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યને અધ્યયન પ્રદર્શનના આધારે કરવામા આવી રહ્યું છે. આઉટસોર્સિંગના કારણે રેલ્વેમાં સ્વીકૃત પદની સંખ્યા ઓછી થઈ રહી છે. રેલ્વેના કર્મચારીઓની વિશાળ સંખ્યા વેતન અને પેન્શનના કેસમાં એક મોટો બોઝ સાબિત થઈ રહી છે. રેલ્વેને તેની કમાણીનો એક તૃત્યાંશ ભાગ કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચ કરવો પડે છે. હાલમાં તેને પ્રત્યેક એક રૂપિયામાંથી 37 પૈસા કર્મચારીઓના વેતન અને 26 પૈસા પેન્શન પર ખર્ચ કરવો પડે છે.