ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે મેગા ઓક્શન 7 અને 8 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. આ અગાઉ 30 નવેમ્બરે બધી ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી હતી.
IPLની આગામી સિઝન માટે મેગા ઓક્શન 7 અને 8 ફેબ્રુઆરીએ
બધી ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી
જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો થશે મેગા ઓક્શન
કેટલીક ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનને લઇ દર્શાવી નારાજગી
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન ભારતમાં રમાય તેવી આશા છે. કેટલીક ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનને લઇને નારાજગી દર્શાવી છે અને કદાચ IPLના ઈતિહાસની આ છેલ્લી મેગા હરાજી હશે.
શું છે BCCIનો પ્લાન?
BCCI દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી મુજબ, જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો 7 અને 8 ફેબ્રુઆરીએ મેગા હરાજી થશે. BCCIના અધિકારીએ જણાવ્યું, અમે આગામી મેગા ઓક્શન બેંગલોરમાં હોસ્ટ કરવા અંગે વિચાર કરીએ છીએ. જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો 7 અને 8 ફેબ્રુઆરીએ IPLની મેગા હરાજી થશે.
આગામી IPL સિઝનમાં 2 નવી ટીમો પણ મેદાનમાં ઉતરશે
આગામી IPL સિઝનમાં 2 નવી ટીમો પણ મેદાનમાં ઉતરવાની છે. આ વખતે લખનઉ અને અમદાવાદ IPLમાં બાકી 8 ટીમોની સાથે મેદાનમાં ઉતરશે. લખનઉ અને અમદાવાદને ટૂંક સમયમાં બાકી ટીમોના રિટેન્શન બાદ પસંદ કરવામાં આવેલા 3 ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. લખનઉના ઝીમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને ઈંગ્લેન્ડના પૂર્વ કોચ એન્ડી ફ્લોવરને પોતાના કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરની મેન્ટર તરીકે નિમણુંક કરી છે.